નેશનલ

વિદેશમાં રહેતા ભારતીયોએ સ્વદેશ મોકલ્યા રેકોર્ડ તોડ નાણાં, આંકડો 11,000 અરબ રૂપિયાને પાર

મુંબઈ : ભારતના અર્થતંત્રમાં એનઆરઆઇનું યોગદાન મહત્વનું છે. જે અંગે પ્રકાશમાં આવેલા ડેટા મુજબ ગત નાણાકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઈ કરતા વધુ નાણાં મોકલ્યા છે. એનઆરઆઈ એ તેમના પરિવારોને પૈસા મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયોએ તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર એટલે કે લગભગ11,600 અરબ રૂપિયા મોકલ્યા છે. જે એનઆરઆઈ દ્વારા અત્યાર સુધી મોકલવામાં આવેલી સૌથી મોટી રકમ છે.

એનઆરઆઇએ નાણાં મોકલવાનો રેકોર્ડ બનાવ્યો

આ અંગે આરબીઆઇએ આપેલી માહિતી મુજબ આઠ વર્ષ પહેલા એનઆરઆઇ દ્વારા 61 બિલિયન ડોલરની રકમ મોકલવામાં આવતી હતી. પરંતુ આજે આ રકમ બમણી થઈ ગઈ છે. એટલે કે જો આપણે વાર્ષિક ધોરણે જોઈએ તો તેમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે. આ આંકડો વિદેશમાં રહેતા ભારતીયોની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે.

જો આપણે છેલ્લા 10 વર્ષના ડેટા પર નજર કરીએ, તો ભારત સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ છે. વિશ્વ બેંકનો અહેવાલ આ વાતની પુષ્ટિ કરે છે. આ અહેવાલ મુજબ, મેક્સિકો વર્ષ 2024 માં 5.8 લાખ કરોડ રેમિટન્સ સાથે બીજા સ્થાને રહેશે, ત્યારબાદ ચીન 4.1 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને રહેશે.

રેમિટન્સથી વેપાર ખાધની ભરપાઈ

આઠ વર્ષમાં રેમિટન્સનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 6 લાખ કરોડ, 2015-16 દરમિયાન 5.62 લાખ કરોડ, 2016-17 દરમિયાન 5.26 લાખ કરોડ, 2017-18 દરમિયાન 5.93 લાખ કરોડ, 2018-19 દરમિયાન 6.55 લાખ કરોડ, 2019-2020 દરમિયાન 7.13 લાખ કરોડ, 2020-21 દરમિયાન 6.87 લાખ કરોડ રેમિટન્સ હતા.

બ્રિટન, અમેરિકા અને સિંગાપોરનો હિસ્સો 45 ટકા

ભારતને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 7.64 લાખ કરોડ રૂપિયા, વર્ષ 2022-23 દરમિયાન 9.64 લાખ કરોડ રૂપિયા, વર્ષ 2023-24 દરમિયાન 10.18 લાખ કરોડ રૂપિયા અને વર્ષ 2025-26 દરમિયાન 11.63 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. આરબીઆઈના અહેવાલ મુજબ વિદેશોમાંથી મળેલા કુલ રેમિટન્સમાં બ્રિટન, અમેરિકા અને સિંગાપોરનો હિસ્સો 45 ટકા છે. એટલે કે, રેમિટન્સ આપણી વેપાર ખાધના લગભગ 47 ટકાની ભરપાઈ કરે છે.

શું હોય છે રેમિટન્સ ?

રેમિટન્સ વાસ્તવમાં એ રકમ છે. જે વિદેશમાં રહેતાં લોકો પોતાના વતન મોકલે છે. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારત મોકલવામાં આવતી કમાણી ભારતના રેમિટન્સ તરીકે ઓળખાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button