નેશનલ

અયોધ્યામાં કોંગ્રેસને ‘No Entry’, પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને લોકોએ ધક્કે ચડાવ્યા

અયોધ્યા: 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિર, અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (The inauguration of the Ram Mandir in Ayodhya Date) ને લઈને સમગ્ર ભારત સહીત દુનિયા આ પ્રસંગ પર મીટ માંડીને બેઠી છે. પરંતુ દેશમાં આ મુદ્દાને લઈને શરૂઆતથી જ રાજકારણ ગરમાયું છે. તેવામાં વિરોધ પક્ષ આ પ્રસંગને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી રહ્યા છે અને વિવિધ મુદ્દે ભાજપને ઘેરી લેવાનો કોઈ જ મોકો છોડતા નથી.

તેવામાં કોંગ્રેસના અમુક કાર્યકરોએ પાર્ટીનો ઝંડો લઈને મંદિર પરિસરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી (Congress). આ બનાવને લઈને હાજર લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને પાર્ટીનો ઝંડો આંચકીને કાર્યકર્તાઓને ધક્કે ચડાવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણો મોટો હોબાળો સર્જાયો હતો.

આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ પવિત્ર મકર સંક્રાંતિના પર્વને લઈને ઉત્તર પ્રદેશના મોટા ગજાના ગણાતા કોંગ્રેસી નેતાઓએ રામ મંદિર પહોચ્યા હતા અને અયોધ્યામાં સ્નાન પણ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress