નેશનલ

સ્ટેનલેસ સ્ટીલ વાપર્યુ હોત તો શિવાજીની પ્રતિમા બચી હોત;નીતિન ગડકરી

નિતિન ગડકરીએ મંગળવારે નવી દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં માલવણમાં રાજકોટ કિલ્લામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોત તો કદાચ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરી શકી હોત.

તેમણે વધુમાં યોગ્ય બાંધકામ સામગ્રી પસંદ કરવાના મહત્વ પર ધ્યાન દોર્યું, નોંધ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોખંડને કાટ લાગવાની સંભાવના હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી હું દરિયાની નજીકના રસ્તાઓ અને પુલોના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગ પર ભાર મૂકું છું. તેમણે ઉમેર્યું કે, અમને શિવાજી મહારાજ માટે સૌથી વધુ આદર છે. તે આપણા ‘આરાધ્ય દેવતા’ છે. ડિસેમ્બર ૨૦૨૩ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયેલી ૩૫ ફૂટ ઊંચી શિવાજીની પ્રતિમા ૨૬ ઓગસ્ટના રોજ તૂટી પડી હતી.

દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગડકરીએ ૧૯૯૫ થી ૧૯૯૯ સુધીના મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકેના તેમના કાર્યકાળ પર ધ્યાન દોર્યું, જે દરમિયાન તેમણે ૫૫ પુલના બાંધકામની દેખરેખ કરી હતી. તેમણે એક દાખલો આપ્યો જ્યાં, કાટને રોકવા માટે લોખંડના સળિયા પર પાવડર કોટિંગ કરવામાં આવ્યું  છતાં, કોટિંગ બિનઅસરકારક સાબિત થયું હતું. ગડકરીએ કાટના મુદ્દાઓને ઉકેલવા માટે દરિયાકાંઠાના ૩૦ કિમીની અંદર બાંધકામ પ્રોજેક્ટ્સ માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.

વિપક્ષ મહા વિકાસ આઘાડીએ પ્રતિમા તૂટી પડવા  પર એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિ સરકારની ટીકા કરી છે. બુધવારે, વિપક્ષ શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે પ્રતિમાના બજેટના સંચાલન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને કહ્યું હતું કે જ્યારે ફાળવેલ ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે વાસ્તવિક ખર્ચ ન્યૂનતમ હતો, જે ભંડોળનો સંભવિત દુરુપયોગ સૂચવે છે.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!