નેશનલ

પાક.માં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત

પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનામાં બે સૈનિક સહિત નવ જણ માર્યા ગયા હતા અને અન્ય અનેક જણ ઘાયલ થયા હતા.
સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અને પોલીસે જણાવ્યું હતું કે બુધવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝિરિસ્તાન, દક્ષિણ વઝિરિસ્તાન અને બજૌર આદિવાસી જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી.
ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના રઝમાક વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલા પર હુમલો કરતા બે સૈનિક માર્યા ગયા હતા, જ્યારે દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના વાનામાં, દુકાનમાં બોમ્બ વિસ્ફોટ થતાં ચાર જણ માર્યા ગયા હતા.
બજૌર આદિવાસી જિલ્લામાં, બે અલગ-અલગ વિસ્ફોટોમાં ત્રણ જણનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?