ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ
રેલવેએ મુસાફરોને આઈઆરસીટીસી પ્રોફાઈલ આધાર સાથે લિંક કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવની જાહેરાત કરવામાં આવીછે. જે મુજબ તત્કાલ બુકિંગ માટે 1 જુલાઈથી આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક નહીં કરી શકે. 15 જુલાઈથી ઓનલાઈન બુકિંગ માટે આધાર આધારિત ઓટીપી ઓથેન્ટિકેશન ફરજીયાત કરવામાં આવશે.
કેવી રીતે કરી શકાશે બુકિંગ
આ ઉપરાંત રેલવે એજન્ટ પણ તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાના 30 મિનિટ સુધી ટિકિટ બુકિંગ નહીં કરી શકે. એસી ક્લાસ માટે આ સમય સવારે 10 થી 10.30 સુધી અને નોન એસી ક્લાસ માટે 11 થી 11.30 સુધી રહેશે. આમ આદમી એસી ક્લાસ માટે સવારે 10 વાગ્યાથી બુકિંગ કરી શકશે. નોન એસી ક્લાસ માટે 11 વાગ્યાથી બુકિંગ થઈ શકેશે. અત્યાર સુધી એજન્ટોનો જ તત્કાલ બુકિંગ પર કબજો રહેતો હતો તેથી આમ આદમીને પણ પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો: રેલવેનો મોટો નિર્ણય: 24 કલાક પહેલા મળશે કન્ફર્મ ટિકિટની માહિતી, પ્રવાસીઓને રાહત
એજન્ટ માટે બુકિંગના નિયમ
15 જુલાઈથી પીઆરએસ કાઉન્ટર અને સત્તાવાર એજન્ટો સવિયા બુક કરવામાં આવેલી તત્કાલ ટિકિટ માટે પણ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલી ઓટીપીનું વેરિફિકેશન કરવું પડશે. તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શતિા વધારવા અને વાસ્તવિક મુસાફરોને લાભ પહોંચાડવા માટે આ બદલાવ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પરેશાની ન થાય તે માટે રેલવે મંત્રાલયે મુસાફરોને આઈઆરસીટીસી પ્રોફાઈલ આધાર સાથે લિંક કરવાની અપીલ કરી હતી.
આઈઆરસીટીસી મુજબ દેશમાં યૂઝર્સની સંખ્યા 13 કરોડથી વધુ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર 10 ટકા યૂઝર્સ જ આધાર વેરિફાઈડ છે. આ સ્થિતિમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી ભારતીય રેલવે નિયમોને કડક બનાવી રહ્યું છે. તેમજ આધાર વેરિફાઈડ આઈઆરસીટીસી એકાઉન્ટ જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગની મંજૂરી આપી છે