ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ, હવે એસી આટલા ડિગ્રીથી નીચે સેટ નહી કરી શકાય…

નવી દિલ્હી : દેશમાં ચોમાસા પૂર્વે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે હવે ઠંડક આપતા એર કંડિશનરમાં ખૂબ જ ટૂંક સમયમાં તાપમાન મર્યાદા લાગુ કરવામાં આવવાની છે. જે અંગે કેન્દ્ર સરકાર નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. જેમાં વીજળીનો વપરાશ ઘટાડવા હવે લોકો એસીને 20 ડિગ્રીથી નીચે અથવા 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકશે નહી. સરળ ભાષામાં સમજાવીએ તો રૂમને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઠંડુ કરી શકાશે નહીં. આ અંગે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે આ નવો નિયમ રહેણાંક, વાણિજ્યિક સંસ્થાઓ અને વાહનોમાં લગાવવામાં આવેલા એસી પર લાગુ થશે.

ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં પણ મદદ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ નિર્ણય ઉર્જા સંરક્ષણ, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એસી જેટલું ઓછું ચલાવવામાં આવે છે તેટલી વધુ વીજળીનો વપરાશ થાય છે. આ ઉપરાંત તે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં પણ મદદ કરશે.

મોદી સરકારના વિઝનની રૂપરેખા
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે વર્ષ 2047 માટે મોદી સરકારના વિઝનની રૂપરેખા આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે સરકાર સમગ્ર દેશમાં એક નવી સિસ્ટમ લાવવા જઈ રહી છે. જેના હેઠળ બધા એસીનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રીથી ઉપર લઈ શકાશે નહીં. આ સિસ્ટમ ઠંડક અને ગરમી બંને સ્થિતિમાં કામ કરશે.

જાપાન અને ઇટલીના ઉદાહરણ ટાંક્યા
પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એર કંડિશનરના તાપમાનને નિયંત્રિત કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તે ખૂબ જ ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ઘણા દેશો છે જ્યાં આ સિસ્ટમ લાગુ છે. તેમણે જાપાનનું ઉદાહરણ પણ આપ્યું જ્યાં મર્યાદા 26 ડિગ્રી છે. જ્યારે ઇટલી વિશે વાત કરીએ તો તે 23 ડિગ્રી છે.

નવા એસીમાં તેનો અમલ કરશે
હાલમાં, ઘણી કંપનીઓના એસી ઓછામાં ઓછા 16 ડિગ્રી તાપમાને ચાલી શકે છે. આ નિયમ લાગુ થયા પછી, એર કન્ડીશનર કંપનીઓ તેમના નવા એસી માટે તેનો અમલ કરશે. આનો અર્થ એ થયો કે આ પછી બજારમાં લોન્ચ થનારા એસી ઓછામાં ઓછા 20 ડિગ્રી ઠંડક આપશે અને તાપમાન 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકાશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button