Nainital Road Accident: નૈનીતાલમાં પીકઅપ વાન ખીણમાં ખાબકી, આઠ મજુરોના મોત
![Nainitaal Road Accident:: Pickup van plunges into valley in Nainital, eight laborers killed](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-2.11.25-PM-780x470.jpeg)
નૈનીતાલ: ઉત્તરાખંડ(Uttarakhand)ના નૈનીતાલ નજીક ગઈ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત(Nainital Road Accident) થયો હતો. બેતાલઘાટ વિસ્તારમાં ઉંચકોટ મોટર રોડ પર સોમવારે મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે એક પીકઅપ વાન 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ મજુરોના લોકોના મોત થયા હતા. જ્યારે બે મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જાણકારી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર સહીત વાહનમાં નવ નેપાળી મજૂરો હતા.
આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરીને મજુરો પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા નેપાળી મજૂરોના નામ અને ઘર વિષે જાણકારી મળી નથી. ઇજાગ્રસ્તના ભાનમાં આવ્યા બાદ જ કેટલીક માહિતી ઉપલબ્ધ થશે.