આરએસએસ વડા Mohan bhagwat એ વસ્તી વૃદ્ધિ દર મુદ્દે આપ્યું આ મોટું નિવેદન…

નવી દિલ્હી : દેશમાં વસ્તી વધારાના કાયદાની માંગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતનું(Mohan bhagwat)વસ્તી વૃદ્ધિ દર મુદ્દે નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે કહ્યું કે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો ચિંતાનો વિષય છે. તેમણે એમ પણ કહ્યું કે આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1 થી નીચે જાય છે ત્યારે તે સમાજ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને સમાજોનો નાશ થયો છે.
આ પણ વાંચો : ‘સનાતન ધર્મના ઉદયનો સમય આવી ગયો છે…’ સંઘના વડા મોહન ભાગવતે આવું કેમ કહ્યું
જનસંખ્યા દર 2.1 થી નીચે ન હોવો જોઈએ
મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા(પ્રજનન દર) દર 2.1 થી નીચે ન હોવો જોઈએ. આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002 માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે એમ પણ કહે છે કે કોઈપણ સમાજની વસ્તી(પ્રજનન દર) 2.1 થી ઓછી ન હોવી જોઈએ. આપણને બે કે ત્રણ બાળકની જરૂર છે. તે જ વસ્તી વિજ્ઞાન કહે છે. આ સંખ્યા મહત્વપૂર્ણ છે કારણ કે સમાજ ટકી રહેવો જોઈએ.
આ પણ વાંચો : ‘સાચા સેવકમાં અહંકાર નથી હોતો…’ RSS વડા મોહન ભાગવત ભાજપ અને મોદીથી નારાજ!
વસ્તી કાયદાની માંગ વચ્ચે નિવેદન આવ્યું
આરએસએસ વડા મોહન ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં વસ્તી કાયદો લાવવાની માંગ કરવામાં આવી રહી છે. મોહન ભાગવતના આ નિવેદન બાદ દેશમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો કહે છે કે દેશમાં પહેલાથી જ વસ્તી વિસ્ફોટ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં વધુ બાળકોની વાત યોગ્ય નથી.