ટોપ ન્યૂઝનેશનલ

મણિપુરમાં કેન્દ્ર સરકારની ઐતિહાસિક સિદ્ધિ આતંકવાદી જૂથ UNLFએ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા

ઇમ્ફાલઃ મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને હિંસા છોડવા માટે સંમત થયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અહીં આ જાહેરાત કરી હતી. UNLF મણિપુરની ઇમ્ફાલ ખીણમાં કાર્યરત સૌથી જૂનું સશસ્ત્ર જૂથ છે.

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે!!!” યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટે આજે નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાથી ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ખીણમાં કાર્યરત સૌથી જૂની સંસ્થા મણિપુરનું સશસ્ત્ર જૂથ UNLF હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. ”

હું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં તેમનું સ્વાગત કરું છું અને શાંતિ અને પ્રગતિના માર્ગ પર તેમની સફર માટે શુભેચ્છા પાઠવું છું.” શાહે કહ્યું હતું કે ભારત સરકાર અને મણિપુર સરકાર દ્વારા UNLF સાથે કરવામાં આવેલ શાંતિ કરાર છ દાયકા લાંબા સશસ્ત્ર સંઘર્ષના અંતનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતમાં યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે,” એમ અમિત શાહે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત