નેશનલ

Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા અને શનિવારે નીતિ આયોગની(Niti Aayog) બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા. મમતા બેનર્જી એ કહ્યું કે પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર તરફથી ઓછું ભંડોળ મળે છે તેવો મુદ્દો ઉઠાવતા જ મારું માઈક બંધ થઈ ગયું. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેમની પહેલાના લોકોને 10 થી 20 મિનિટ સુધી બોલવાની છૂટ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે વિપક્ષમાંથી તેઓ એકમાત્ર મુખ્યમંત્રી હતા જે આ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. આમ છતાં તેને બોલવા દેવામાં આવ્યા ન હતા. મમતા બેનર્જીએ આ ઘટનાને અપમાન ગણાવ્યું છે.

| Also Read: Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે

તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન

નીતિ આયોગની બેઠકમાંથી બહાર આવ્યા બાદ મમતા બેનર્જી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બોલવા માટે આટલો ઓછો સમય મળવા બદલ મેં મારો વિરોધ નોંધાવ્યો. આ પછી હું બહાર આવી. મમતા બેનર્જીએ કહ્યું કે મેં કેન્દ્ર સરકાર તરફથી પશ્ચિમ બંગાળને આપવામાં આવનાર બજેટ વિશે બોલવાનું શરૂ કર્યું. તેની બાદ મારું માઈક બંધ થઈ ગયું. મમતા બેનર્જીએ કહ્યું કે બેઠકમાં આવું કરવું માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે. આટલું જ નહીં, મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે બેઠકમાં એનડીએના સહયોગીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ