આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કારગીલમાં દ્રાસ યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત

શહીદોની સ્મૃતિને સલામ'ઓપરેશન વિજય'માં શહીદોનું પરાક્રમ ઉત્સાહજનક અને પ્રેરણાદાયી છે - એકનાથ શિંદે

મુંબઈ: કારગીલમાં દ્રાસ ખાતેના યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને અને આપણા બહાદુર સૈનિકોની બહાદુરીની વાર્તા જાણ્યા પછી ખૂબ જ ગર્વ અનુભવ્યો, એમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી લાગણી વ્યક્ત કરી કે દ્રાસ યુદ્ધ સ્મારકની મુલાકાત પ્રેરણાદાયી અને ઉત્સાહજનક છે અને તેનાથી દેશભક્તિની ભાવનામાં વધારો થશે.

મુખ્ય પ્રદાન રવિવારથી કાશ્મીરની મુલાકાતે છે અને તેમના પ્રવાસના બીજા દિવસે સોમવારે બપોરે તેમણે કારગિલ જિલ્લામાં દ્રાસ યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને ‘ઓપરેશન વિજય’ના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મેજર જનરલ સચિન મલિક, કારગિલના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીકાંત સુસે, કારગિલના જિલ્લા પોલીસ અધિક્ષક વિનાયત અલી, વરિષ્ઠ પત્રકાર શ્રીરામ પવાર, બ્રિગેડિયર સુમિત, કર્નલ શશાંક, લેફ્ટનન્ટ કર્નલ સંદીપ સિંહ દુલ્લત, મેરેથોન ડિરેક્ટર વસંત ગોખલે, ટેકનિકલ ડિરેક્ટર સુમિત વાયકર, ફિઝિયોથેરાપિસ્ટ અલી ઈરાની વગેરે હાજર રહ્યા હતા.તેઓ સવારે કારગીલમાં બારુ ખાતે 6ઠ્ઠી કારગિલ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ બારુ પહોંચી શક્યા ન હતા. જો કે, જ્યારે આ મેરેથોનના સ્પર્ધકો સ્મારક જોવા માટે દ્રાસ આવ્યા, ત્યારે તેઓ મુખ્યપ્રધાનને મળ્યા હતા, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને તેના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ યુદ્ધમાં આપણા ઘણા સૈનિકો શહીદ થયા હતા. મુખ્યપ્રધાને પત્રકારોને જણાવ્યું હતું.

             ‘સરહદ’ સંસ્થા દ્વારા કાશ્મીરમાં સારું કામ ચાલી રહ્યું છે અને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરી હતી, એમ મહારાષ્ટ્ર વતી મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

સેનાના જવાનો સાથે મુખ્યમંત્રીનો સંવાદ

ગણેશોત્સવની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાને અહીં સૈન્યના જવાનો સાથે વાતચીત કરી અને તેમને મીઠાઈઓ આપીને મોં મીઠુ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સતારાના કુમાર પિસાળના જાગૃતિ અભિયાનની પ્રશંસા કરી

સતારા જિલ્લાના ચોરડે ગામના કુમાર પિસાલ દ્રાસ યુદ્ધ સ્મારક ખાતે મુખ્યમંત્રીને મળ્યા હતા. દસ વર્ષ પહેલાં એક ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવનાર પિસાળ સતારાથી ટુ-વ્હીલર પર ભારત યાત્રા કરવા માટે મક્કમ છે. આ મુલાકાત દરમિયાન, મુખ્યપ્રધાને  વિકલાંગોના સશક્તિકરણ અને જનજાગૃતિ તેમજ માર્ગ સલામતીના નિયમોને પ્રોત્સાહન આપવા બદલ પિસાળની પ્રશંસા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…