
પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશઃ મહાકુંભ મેળાની વિશ્વભરમાં ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરંતુ આ દરમિયાન 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ થઈ હતી. જે ભાગદોડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને સરકારે વળતર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આ પરિવારોને અત્યાર સુધી વળતર આપવામાં આવ્યું નથી. જેથી અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી છે.

બેંગલુરની નાસભાગ અને મહાકુંભની ભાગદોડમાં કોણ જવાબદાર?
મહત્વની વાત એ છે કે, ભાજપ સરકારે બેંગલુરુની જે નાસભાગ થઈ તે મુદ્દે કોંગ્રેસ સરકાર પર સવાલ કર્યો કે શા માટે સરકાર પૂરતી વ્યવસ્થા ના રાખી? હવે કોંગ્રેસ સરકારને સવાલ કરતી ભાજપને ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી છે કે, પહેલા મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને વળતર આપો. કોર્ટે સરકારના વલણને ‘અયોગ્ય’ અને ‘નાગરિકોના દુઃખ પ્રત્યે ઉદાસીન’ ગણાવ્યું છે. ન્યાયાધીશ સૌમિત્ર દયાળ સિંહ અને ન્યાયાધીશ સંદીપ જૈનની ડિવિઝન બેન્ચે ઉદય પ્રતાપ સિંહની અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી હતી.
પીડિત પરિવારનો શા માટે વળતર નથી આપવામાં આવ્યું?
કોર્ટે કરેલી વાત સાચી પણ છે કારણે કે મહાકુંભ પૂર્ણ થયાને કેટલા મહિના થઈ ગયા છે. તેમ છતાં પીડિત પરિવારનો વળતર શા માટે નથી આપવામાં આવ્યું? શું ઉત્તર પ્રદેશની સરકાર માટે પીડિત પરિવારો માટે કોઈ સહાનુભૂતિ નથી? સરકાર પર સવાલ કોર્ટે કહ્યું કે, સરકારે મૃતકોના સંબંધીઓને વળતર આપવાનું વચન આપ્યું હતું, ત્યારે સમયસર તેનું પાલન કરવાની જવાબદારી સરકારની હતી. આ ઘટનામાં નાગરિકોનો કોઈ દોષ નથી, આવી દુર્ઘટનાઓમાં રાજ્યની ફરજ છે કે તે પીડિત પરિવારોની સંભાળ અને સહાય સુનિશ્ચિત કરે. હવે જોવાનું એ રહે છે કે, કોર્ટની ફટકાર બાદ શું પીડિત પરિવારનો વળતર આપવામાં આવશે?
આપણ વાંચો : મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ નાસભાગથી નહીં આ કારણે થયું, જાણો વિગત
યુપીમાં સરકારી સંસ્થાઓની કામગીરી પર સવાલ સ્વાભાવિક છે
મહાકુંભમાં થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયાં હતા. જેમાંથી કેટલાકના મોતનું આંકડો છૂપાવવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એક મહિલાનું મોત થયું તેમાં ના તો તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું કે ના તો તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. જેથી સ્વાભાવિક છે કે, સરકારી સંસ્થાઓની કામગીરી પર સવાલ થવાના જ છે. અલ્હાબાદ કોર્ટે પણ સરકારી સંસ્થાઓને ઠપકો આપતા તેને ગંભીર ભૂલ ગણાવી છે.
બેંગલુરુમાં થયેલી નાસભાગમાં પણ તંત્રની ભૂલ તો છે જ!
મહાકુંભમાં થયેલી ભાગદોડમાં જેનો જીવ ગયો તેમના પરિવારનો વળતર આપવામાં આવ્યું નથી તો ભાજપ સરકાર બેંગલુરૂમાં થયેલા ભાગદોડ પર કોંગ્રેસ પર કેવી રીતે સવાલ કરી શકે? આવી ચર્ચાઓ અત્યારે લોકો કરી રહ્યાં છે. બેંગલુરુમાં થયેલી નાસભાગમાં પણ સરકાર અને પ્રશાસનની ભૂલ તો છે જ! આ ઘટનાને પણ નજરઅંદાજ તો ના કરી શકાય કારણે કે, આ ભાગદોડમાં એક બે નહીં પરંતુ 10થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. આ સમગ્ર ઘટનામાં અત્યારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.