મહાકુંભ 2025: સ્નાન માટે 12 કિમીનો ઘાટ ઉપરાંત અન્ય વ્યવસ્થા જાણો

મહાકુંભ મેળાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. આ સંગમ શહેર વિશ્વભરના ભક્તોને પૂરા ઉત્સાહ સાથે આવકારવા માટે તૈયાર થઇ રહ્યું છે. આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની સંભાવના છે, જેને ઘ્યાનમાં રાખીને મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળામાં સ્નાન કરવા માટે 12 કિલોમીટરના વિસ્તારમાં ઘાટ બનાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રયાગરાજની મુલાકાત પહેલા તમામ ઘાટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, સ્ટ્રો, તાંબુ અને બોરીઓ માટીથી ભરીને પગથિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે સાથે જ મહિલાઓને કપડાં બદલવા માટે ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના મેળા અધિકારી અભિનવ પાઠકે જણાવ્યું કે 12 કિલોમીટરના વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા અને ઘાટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે સંગમ વિસ્તારના મુખ્ય ઘાટોને નવેસરથી વિકસાવવામાં આવ્યા છે. સંગમ વિસ્તારના મુખ્ય ઘાટ નવા ડેવલપ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મુલાકાતને ધ્યાનમાં રાખીને સફાઈ, બાંધકામ અને સુરક્ષાના કામો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવ્યા છે.
મુખ્ય ઘાટોનું બાંધકામ અને સુવિધાઓઃ-
મહા કુંભ મેળા દરમિયાન , સંગમના કિનારે ગંગા અને યમુનાના કિનારે સાત કાયમી ઘાટ બનાવવામાં આવ્યા છે. દશાશ્વમેધ ઘાટ પરનો આ 110 મીટર લાંબો અને 95 મીટર પહોળો ઘાટ સિટિંગ પ્લાઝા, ચેન્જિંગ કેબિન, પાર્કિંગ, યજ્ઞશાળા, આરતી સ્થળ અને ધ્યાન કેન્દ્ર જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. સંગમ નજીક સ્થિત કિલ્લા ઘાટ 60 મીટર લાંબો અને 70 મીટર પહોળો છે. સરસ્વતી ઘાટ 30 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. આ ઘાટ સ્નાન અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે. કાલી ઘાટ 30 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. છટનાગ ઘાટ 30 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. ભૈરવ મંદિર પાસે આવેલા મહેવા ઘાટની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 60 મીટર છે. દરેક ઘાટ પર અલગ-અલગ ચિહ્નો (ડમરુ, ત્રિશુલ વગેરે) લગાવવામાં આવી રહ્યા છે, જેથી લોકો સરળતાથી ઘાટને ઓળખી શકે. તમામ ઘાટ પર મહિલાઓ અને યુવતીઓ માટે અલગ-અલગ ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તમામ ઘાટ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો…તિરુપતિ નાસભાગમાં મૃતકોની સંખ્યા 6 થઈઃ મુખ્ય પ્રધાને બોલાવી બેઠક
આ ઉપરાંત સંગમ ખાતે વોચ ટાવર બનાવવામાં આવ્યો છે. તમામ બોટનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બોટ પર તેમની ક્ષમતા અને લાઇસન્સ નંબર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. લોકો સલામત સ્નાન કરે તે માટે પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી છે.