નેશનલ

મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હી : મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના કારણે ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો રોકી દીધો હતો. લોકોએ પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પણ નિયંત્રણમાં છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પથ્થરમારા દરમિયાન પરિસ્થિતિને સંભાળતા જોવા મળે છે.

https://twitter.com/ravipandey2643/status/1911092528549708154

કર્નલગંજની મસ્જિદ સામે શોભાયાત્રા પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સાંજે શાહના કોલહુ પુરાથી હનુમાન જયંતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સરઘસ રાપતા, હાટ રોડ તરફ આવી રહ્યું હતું. જુલુસમાં ભાગ લેનારા મોટી સંખ્યામાં લોકો રાત્રે 8 વાગ્યાની આસપાસ કર્નલગંજની મસ્જિદની સામે શોભાયાત્રા પહોંચી હતી. આ જ જગ્યાએ એક કાઉન્સિલરનો સરઘસ આગળ વધારવા અંગે કોઈ સાથે વિવાદ થયો હતો. જે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button