નેશનલ

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રભુ રામ ધારણ કરશે આ ખાસ 3 કિલોની માળા, બેંગલુરુથી આવ્યા કારીગર

બેંગલુરુ: 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના દરેક રાજ્યો કોઈને કોઈ રીતે આ તૈયારીઓનો ભાગ બની રહ્યા ત્યારે બિહારના મિથલાને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને આમાં ભોજપુર જિલ્લા પણ આમાં જોડાય ગયું છે. જેમાં તુલસીથી બનેલી માળા પ્રભુ શ્રી રામ ને અર્પણ કરવામાં આવશે. 15 જાન્યુઆરીએ 9 તુલસીના માળા એક વિશેષ વાહનમાં અયોધ્યા મોકલવામાં આવી. દરરોજ 9 માળા છોડીને અયોધ્યામાં 22 જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામને 9 માળા મોકલવામાં આવશે.

ભોજપુર જિલ્લાના સંદેશ તાલુકામાં પદુરા ગામ છે, અહીંની પ્રાથમિક શાળાના શિક્ષક અભિજીત સિંહ જણાવે છે કે ત્રણ મહિના પહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા એક એકરમાં તુલસીની ખેતી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. મંદિરના ઉદ્ઘાટન માટે તેની જરૂર પડશે. પરંતુ પછી તેમને કહેવામાં આવ્યું ન હતું કે તુલસીના પાનમાંથી માળા બનાવવામાં આવશે અને ભગવાનને પહેરવામાં આવશે.

શિક્ષક અભિજીત કુમારે જણાવ્યું કે, તેમને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસીની ખેતી કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું ન હતું કે તુલસીના છોડનું શું કરવું. પરંતુ અચાનક 10 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના વડા ગોપાલદાસજીનો ફોન આવ્યો હતો.

ખેતી કરેલી તુલસીની માળા બનાવીને અયોધ્યા મંદિરમાં મોકલવાનું કહ્યું. પટના એરપોર્ટથી કારીગરોને તમારી સાથે લઈ જાઓ અને માળા બનાવીને મોકલવાનું શરૂ કરો. જે બાદ 15 જાન્યુઆરીએ 9 તુલસીની માળા ખાસ વાહનમાં મોકલવામાં આવી હતી. 22 જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામ માટે દરરોજ 9 માળા અયોધ્યા મોકલવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામના ગાળામાં સુશોભિત આ માળા કર્ણાટકના બેંગલુરુના કુશળ કારીગરો બનાવી રહ્યા છે. માળા બનાવનાર કારીગર નારાયણ સ્વામી જણાવે છે કે આ માલનો વજન આશરે ત્રણ કિલો જેટલો છે. એક તુલસી માળા બનાવવા પાછળ એક કાલ્ક જેટલો સમય લાગે છે. 9 થી 10 કલાકમાં ત્રણ લોકો અને ખેડૂત અભિજિતની મદદથી 9 માળા તૈયાર કરીને ખાસ વાહનમાં અયોધ્યા મોકલવામાં આવી રહી છે.

આરામાંથી તુલસીજીની તૈયાર કરેલી માળા ભગવાન શ્રી રામને ભેટ સ્વરૂપે મોકલવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકો ખૂબ જ ખુશ દેખાય છે. બધા કહે છે કે ભોજપુર માટે ગર્વની વાત છે કે અહીંની માટી અને પાક ભગવાન શ્રી રામના હૃદયની નજીક રહેશે. આનાથી વધુ સૌભાગ્ય બીજું કોઈ ન હોઈ શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…