UP: અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 બેઠક, INDIA ગઠબંધન માટે અખિલેશનો ‘છેલ્લો દાવ’

લખનૌ: અખિલેશ યાદવે કહ્યું છે કે બેઠકોની વહેંચણી (UP Seat Sharing SP Congress) નક્કી થયા બાદ જ સમાજવાદી પાર્ટી ભારત જોડો ન્યાય યાત્રામાં (Bharat jodo nyay yatra) સામેલ થશે. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 17 લોકસભા (loksabha election 2024) સીટો ઓફર કરી છે. જો આજ મોડી રાત સુધી કોંગ્રેસ સાથે બેઠકો પર કોઈ સમજૂતી નહીં થાય તો અખિલેશ યાદવ (Akhilesh Yadav) માટે મંગળવારે રાયબરેલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવું મુશ્કેલ બનશે.
સીટોની સંખ્યાના સંદર્ભમાં સપા તરફથી આ છેલ્લી ઓફર છે. કોંગ્રેસ મુરાદાબાદ અને બલિયા જેવી સીટો ઈચ્છે છે, જેના પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મુરાદાબાદ એ સમાજવાદી પાર્ટીએ જીતેલી બેઠક છે જ્યારે બલિયા સમાજવાદી પાર્ટીની મજબૂત બેઠકોમાંથી એક છે. મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુરાદાબાદ સીટ પર બીજા નંબરે હતી, પરંતુ તે થોડા હજાર મતોથી હારી ગઈ હતી. જ્યારે કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાય માટે સમાજવાદી પાર્ટી પાસેથી બલિયા સીટ ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે જો કોંગ્રેસ મોડી રાત સુધી સીટો પર સહમત નહીં થાય તો અખિલેશ યાદવ માટે મંગળવારે રાયબરેલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવો મુશ્કેલ બની જશે. અખિલેશ યાદવે કહ્યું છે કે સીટોની વહેંચણી નક્કી થયા બાદ જ સમાજવાદી પાર્ટી ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે.
સમાજવાદી પાર્ટીએ અગાઉ 30 જાન્યુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આજે સોમવારે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટી સપાએ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી કુલ 27 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.