‘અમારી સરકાર આવી તો વડાપ્રધાન સહિત બધા જ BJP નેતાઓ જેલમાં હશે’: મીસા ભારતી
!['If our government comes, all BJP leaders including the Prime Minister will be in jail': Misa Bharti](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Misa_Bharti_1712826169420_1712826199510-780x470.webp)
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને RJD નેતાઓ વચ્ચે બરાબર વાકયુદ્ધ જામ્યું છે. હવે RJD નેતા અને લાલુ પ્રસાદની દીકરી મીસા ભરતીએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. શાબ્દિક બાણ વરસવતા તેણે કહ્યું કે,’જો જનતાએ INDIA ગઠબંધને જીત આપાવી તો PM સહિત બધા જ BJP નેતાઓ જેલ અંદર હશે’
PM મોદી પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતા પ્રશ્નના જવાબમાં મીસા ભારતીએ કહ્યું, ‘ભારત ગઠબંધન 30 લાખ નોકરીઓ આપી રહ્યું છે, તેઓ તેમાં તુષ્ટિકરણ જોઈ રહ્યા છે. અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહ્યા છીએ, અમે MSP લાગુ કરવાની વાત કરી રહ્યા છીએ, શું તે તુષ્ટિકરણ છે? આજે તમે પુત્ર માટે વોટ માંગવા ગયા હતા, તમે પરિવારવાદ પર કેમ બોલતા નથી? શું વડાપ્રધાનનું મોઢું બંધ છે? ઈલેક્ટોરલ બોન્ડ પર કોણ જવાબ આપશે?
આરજેડીના રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ વધુમાં કહ્યું કે, ‘તે (પીએમ) જ્યારે પણ આવે છે ત્યારે અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, શું તમે જાણો છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે? જો દેશની જનતા આપણને INDIA ગઠબંધનને મોકો આપશે તો વડાપ્રધાનથી માંડીને ભાજપના તમામ નેતાઓ જેલમાં હશે.
ALSO READ: PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના
આ પહેલા રામ મંદિરના મુદ્દે મીસા ભારતીએ કહ્યું હતું કે, અમે પણ હિન્દુ છીએ. સનાતની છે. સમય કાઢીને પૂજા કરવા જઈશું. અયોધ્યાનું રામ મંદિર મોદીજી કે ભાજપનું નથી. પીએમ મોદીના પગ સ્પર્શ કરવાના નીતિશ કુમારના આરોપ પર મીસાએ કહ્યું, આ અમારા સંસ્કારોની વાત છે. હવે જોવાનું એ રહે છે કે મોદીજી ઉંમરમાં મોટા છે કે નીતિશજી. તમને જણાવી દઈએ કે આ વખતે પણ RJD પાટલીપુત્રથી મીસા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે જ્યાં તેનો મુકાબલો BJP નેતા રામકૃપાલ યાદવ સાથે થશે.
બિહારની 40 બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે, જેમાં પ્રથમ તબક્કા (19 એપ્રિલ) માં ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈની બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજા તબક્કામાં (26 એપ્રિલ) કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા અને ભાગલપુરની સીટો સામેલ છે.
ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં 15 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સમયગાળા દરમિયાન ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખાગરિયામાં મતદાન થશે. ચોથા તબક્કામાં (13 મે), દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં મતદાન થશે.