નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : ભાજપથી રાજપૂતોની નારાજગીને લઈને હિમંતા બિસ્વા સરમા આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીના (Loksabha Election) ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. આ તબક્કામાં આસામની(Assam) ચાર લોકસભા સીટો પર મતદાન થશે. આ પૂર્વે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ(Himanta Biswa Sarma) એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પ્રત્યે રાજપૂતોની (Rajput) નારાજગી સાથે જોડાયેલા સવાલનો જવાબ પણ આપ્યો.

રાજપૂત સમાજ અમારી સાથે : સરમા

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, રાજપૂત કોણ છે ? ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ… આ બધા રાજપૂત છે. રાજપૂત અને ભાજપ વચ્ચે પ્રશ્ન ક્યાં આવે છે? તેમણે કહ્યું કે, એક વિસ્તારમાં સમસ્યા હોઈ શકે છે. જો કોઈ રાજ્યમાં કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય, તેના કારણે તમને લાગે કે રાજપૂત ભાજપથી નારાજ થયા છે, તો આ ખૂબ જ ખોટું છે. રાજપૂત સમાજ અમારી સાથે છે.

રાહુલે રાયબરેલીથી લડીને શાણપણ બતાવ્યું

ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે, આસામના સીએમએ રાહુલ ગાંધીના(Rahul Gandhi) રાયબરેલીથી ચૂંટણી લડવા, કર્ણાટક સીડી કાંડ, જમ્મુ અને કાશ્મીર, આતંકવાદ જેવા વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી.રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના સવાલ પર હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ શાણપણ બતાવ્યું છે. જો તેઓ અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો લાખો મતોથી હાર્યા હોત, પરંતુ હવે જો તેઓ રાયબરેલીથી ચૂંટણી લડશે તો ત્યાં હજારો મતોથી હારશે.

રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં સરકાર બનાવવી જોઈએ

પાકિસ્તાનના (Pakistan)પૂર્વ મંત્રી દ્વારા રાહુલ ગાંધીના વખાણ કરવાના સવાલ પર હિમંતા શર્માએ કહ્યું કે, રાહુલ ગાંધીએ અહીં નહીં પણ પાકિસ્તાનમાંથી ચૂંટણી લડીને સરકાર બનાવવી જોઈએ. છેવટે તેઓ મુસ્લિમ લીગની નજીક રહ્યા છે. કોઈપણ રીતે, પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા છે. રાહુલ ગાંધી એક મહાન રાજકીય વૈજ્ઞાનિક છે. કદાચ પાકિસ્તાનમાં અસ્થિરતાનો અંત આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…