નેશનલ

Lok sabha election 2023: લોકસભાની ચૂંટણી માટે ભાજપનો મિશન 45 માટે મેગાપ્લાન? મહારાષ્ટ્રના કદાવર નેતાઓને મળી શકે છે ઉમેદવારી

મુંબઇ: આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસીને જોરદાર તૈયારી કરી રહ્યું છે. મિશન 45 માટે ભાજપે કામ શરુ કરી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં મિશન 45 પ્લાન માટે ભાજપે મોટો દાવ રચ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. મહારાષ્ટ્ર ભાજપના અનેક કદાવર નેતાઓને લોકસભાની ટિકીટ અપાશે તેવી જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મિશન 45 અંતર્ગત ભાજપે જોરદાર તૈયારીઓ શરુ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 45 બેઠકો જીતવાનો ટાર્ગેટ ભાજપે રાખ્યો છે. આ જ મિશન માટે ચંદ્રપુરથી સુધીર મુનગંટીવાર, જલગાવના રાવેરથી ગિરીશ મહાજન, સોલાપૂરમાંથી રામ સાતપુતે, થાણેમાંથી સંજય કેળકર અથવા રવિદ્ર ચૌહાણ અને દક્ષિણ મુબંઇથી રાહુલ નાર્વેકરને ટિકીટ મળે તેવી શક્યતાઓ છે. જીતવાની ક્ષમતા માત્ર આ એક લાયકાતને ધ્યાનમાં લઇ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

મહારાષ્ટ્રના લોકસભા મતદારસંઘમાં કેન્દ્રિય પ્રધાનોનો પ્રવાસ થઇ રહ્યો છે જે અંતર્ગત કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ થઇ રહી છે. ભાજપના કેન્દ્રિય નેતૃત્વએ 16 મતદાર સંઘ પસંદ કર્યા છે. જેમાંથી 10 મતદાર સંઘમાં શિવસેનાનું પ્રભુત્વ છે.

જે સાંસદોની કામગીરી સારી નથી તેમની ટિકીટ આ વખતે કપાવવાની શક્યતાઓ છે. આ સાંસદોની જગ્યાએ કેટલાંક નવા ચહેરાઓની શોધખોળ થઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાંક સાંસદોની કામગીરીથી કેન્દ્રનું નેતૃત્વ નારાજ છે. જે.પી. નડ્ડા અને અમિત શાહે તેમની મુંબઇ મુલાકાત દરમીયાન આ તમામ સાંસદોના કામની જાણકારી મેળવી હતી. ઉપરાંત મુંબઇની કેટલીક બેઠકોમાં પણ ફેરબદલ થવાની શક્યતાઓ છે તેવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે. ચૂંટણી માટે ભાજપ તમામ સાંસદોના છેલ્લાં પાંચ વર્ષના કામની જાણકારી મેળવીને ઉમેદવારી આપશે. થોડા જ દિવસોમાં નામો પર ચર્ચા થશે અને યાદી બહાર પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુલઢાણા, ચંદ્રપૂર, હિંગોલી, ઔંરગાબાદ, પાલઘર, કલ્યાણ, દક્ષિણ મધ્ય મુંબઇ, દક્ષિણ મુંબઇ, રાયગઢ, બારામતી, શિરુર, શિરડી, સાતારા, રત્નાગિરી-સિંધુદુર્ગ, કોલ્હાપૂર અને હાતકણંગલે આ મતદાર સંઘ પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બારામતી, માવળ, સોલાપૂર, કોલ્હાપૂર, સાતારા આ મતદાર સંઘમાં ભાજપ તેની પૂર્ણ તાકત લગાવશે. આ તમામ મતદાર સંઘમાંથી 18 મતદાર સંઘ પર ભાજપનું વિશેષ ધ્યાન રહેશે.

ભાજપે 12 મુખ્ય નેતાઓની આ મિશન માટે પસંદગી કરી છે. દરેક નેતાને બે લોકસભાની મતદાર સંઘની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આશિષ શેલાર, રાવસાહેબ દાનવે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે આ મુખ્ય નેતાઓ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme