પશ્ચિમ બંગાળનું કૂચ બિહાર બન્યું ચૂંટણીનો અખાડો, આજે PM મોદી અને CM મમતા બેનરજી કરશે રેલી

પશ્ચિમ બંગાળનું કૂચ બિહાર બન્યું ચૂંટણીનો અખાડો, આજે PM મોદી અને CM મમતા બેનરજી કરશે રેલી

લોકસભા ચૂંટણીને લઈને તમામ નેતાઓએ પૂરજોશમાં કામ શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળનું કૂચ બિહાર આજે દિવસભર ચર્ચામાં રહેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં રેલી કરશે. આ સાથે રાજ્યના સીએમ મમતા બેનરજી પણ અહીં રેલી કરશે. કૂચ બિહારની લોકસભા સીટ ભાજપ અને ટીએમસી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

આ ચૂંટણી સિઝનમાં પહેલીવાર એવું બન્યું છે કે પીએમ મોદી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ એક જ દિવસે એક મતદારક્ષેત્રના મતદારોને સંબોધિત કરશે. જ્યાં ટીએમસી સુપ્રીમો મમતા બપોરના સુમારે કૂચ બિહારમાં રેલી યોજવાના છે. તે જ સમયે, પીએમ મોદી લગભગ 3 વાગે મતવિસ્તારના રાસલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે.આમ બંને નેતાઓની રેલી એક જ શહેરમાં છે અને બંને રેલી સ્થળ વચ્ચેનું અંતર માંડ 30 કિમી. છે.


ECI દ્વારા જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, 19 એપ્રિલ પછી, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. આ પછી 4 જૂને મતગણતરી થશે. બંગાળમાં અલીપુરદ્વાર અને જલપાઈગુડી અને કૂચ બિહાર મતદાર ક્ષેત્રમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે.


ભાજપે વર્ષ 2019માં સત્તારૂઢ ટીએમસી પાસેથી ત્રણેય બેઠકો છીનવી લીધી હતી. બે વિજેતાઓ, કૂચ બિહારના નિસિથ પ્રામાણિક અને અલીપુરદ્વારના જોન બાર્લા, કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. 2019માં ભાજપે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો અને આ વર્ષે પણ ભાજપ તેના રેકોર્ડથી પણ વધુ સારું પ્રદર્શન કરવાની આશા રાખે છે. PM મોદી ગુરુવારે બિહારના જમુઈમાં રેલી સાથે બિહારમાં NDAના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે.

સંબંધિત લેખો

Back to top button