નેશનલ

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું: મોટી માત્રામાં હથિયારો મળ્યા

શ્રીનગર: ભારતના સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. એવામાં સુરક્ષા દળોને શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. બુધવારે શોપિયાના બાસ્કુચન વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન, બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું (Terrorist Surrendered in J&K)હતું.

આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓની ઓળખ ઇરફાન બશીર અને ઉઝૈર સલામ તરીકે થઈ છે. બંને લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠન સાથે સંકળાયેલા હતા અને હાઇબ્રિડ આતંકવાદીઓ તરીકે કામ કરતા હતા. હાઇબ્રિડ આતંકવાદીઓ એવા હોય છે જે સામાન્ય લોકોની જેમ રહે છે, પરંતુ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે.

આ હથિયારો મળ્યા:

ચોક્કસ ઇનપુટના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને CRPFની 178મી બટાલિયન દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન બંને આતંકવાદીઓએ સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આતંકવાદીઓ પાસેથી બે AK-56 રાઈફલ, ચાર મેગેઝિન, 102 જીવંત કારતૂસ (7.62×39 mm), બે હેન્ડ ગ્રેનેડ અને બે પાઉચ મળી આવ્યા.

આપણ વાંચો:  1લી જૂનથી તમારા ખિસ્સા થશે ખાલી! એલપીજી ગેસ, ક્રેડિટ કાર્ડ અને વ્યાજ દરોમાં થવાનો છે ફેરફાર

પોલીસે FIR નોંધી છે, અને તેમની આતંવાદીઓને પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ 16 મેના રોજ, કાશ્મીર ઝોનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથે સંકલનમાં ભારતીય સેના દ્વારા કેલાર, શોપિયા અને ત્રાલમાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશન હેઠળ છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button