ટોપ ન્યૂઝનેશનલ

લલિતની માતાએ કહ્યું કે મારો દીકરો સીધો છે અમે કોર્ટમાં જઇશું….

13 ડિસેમ્બરના રોજ સંસદમાં થયેલા હોબાળાના માસ્ટરમાઇન્ડ કહેવાતા લલિત ઝાના માતે પિતાનું કહેવું છે કે અમારો દીકરો નિર્દોષ છે. તે ક્યારેય આવું કરે જ નહી. તે ભણતો હતો ત્યારથી કે પછી તે કોચિંગમાં ભણાવતો હતો ત્યાં ક્યાંયથી પણ તેની ફરિયાદ મળી નથી. માતા મંજુલા ઝાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ખૂબ જ સાદો છે. અચાનક આ બધું શું થઇ ગયું એ કંઈ સમજાતું નથી પરંતુ અમે ન્યાય મેળવવા કોર્ટમાં જઈશું.

આરોપી લલિત ઝાના પિતા દેવાનંદ ઝાએ જણાવ્યું હતું કે તેના મધ્યવર્તી અભ્યાસ બાદ લલિતને મેડિકલ પરીક્ષાની તૈયારી કરવી હતી પરંતુ અમારી ગરીબ પરિસ્થિતીને કારણે તે આગળનો અભ્યાસ કરી શક્યો નહીં. આ પછી તેણે કોલકાતામાં જ બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. પરંતુ ક્યારેય કોઈ વાલીએ કે કોઇએ કોઇ જ પ્રકારની ફરિયાદ લલિત વિશે કરી નથી.


પિતા દેવાનંદ ઝાએ જણાવ્યું હતું કે પુત્ર વિશેની માહિતી મળતા સમગ્ર પરિવાર આઘાતમાં સરી ગયો છે. કોઈ સમજી શકતું નથી કે અચાનક શું થયું? લલિતના પિતા દેવાનંદ ઝા પશ્ચિમ બંગાળમાં રહે છે અને પૂજા કરે છે. આ તેમની આજીવિકાનું સાધન છે. લલિત ત્રણ ભાઈઓમાં તે વચ્ચેનો છે. તેનો મોટો ભાઈ સોનુ ઝા બંગાળમાં કપડાંની દુકાનમાં કામ કરે છે. નાનો ભાઈ શંભુ ઝા ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.


નોંધનીય છે કે આજસુધી લલિત ઝા સામે કોઇપણ ફોજદારી કેસ નોંધાયેલ નથી. ત્યારે લોકનું કહેવું છે કે લલિતે બેરોજગારીના કારણે આવું પગલું ભર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…