Kolkata Rally Protests Hindu Attacks in Bangladesh

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાના વિરોધમાં કોલકાતાનાં સેંકડો લોકો રેલીમાં ભાગ લીધો…

કોલકાતા: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ અને પડોશી દેશમાં હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસનાં જેલવાસના વિરોધમાં આજે શહેરના મધ્યમાં સેંકડો લોકોએ ‘બંગાળી હિન્દુ સુરક્ષા સમિતિ’ના બેનર હેઠળ એક રેલીમાં ભાગ લીધો હતો. સિયાલદાહ સ્ટેશનથી શરૂ થયેલી રેલી બે કિમીનું અંતર કાપીને રાણી રશ્મોની રોડ પર સમાપ્ત થઈ હતી.

રેલીમાં સહભાગીઓએ દાસની મુક્તિની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર હિંદુઓ પરના અત્યાચારો બંધ કરે તેવી માંગ કરી હતી. ભગવા ધ્વજ અને બેનરો સાથે તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવતી સતત હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : જો મંદિર સામે જુલુસ નીકળી શકે તો મસ્જિદ સામે કેમ નહીંઃ વિધાનસભામાં યોગીના આકરા તેવર

તેઓએ હિંદુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ હુમલાના ગુનેગારોને રોકવા માટે વચગાળાની સરકાર પાસેથી કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે દાસની ધરપકડ ગેરવાજબી હતી અને શેખ હસીના સરકારના પતન પછીથી હિંદુઓ અને અન્ય લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનો પર અવાજ ઉઠાવવા માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓએ માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર એ સુનિશ્ચિત કરે કે લઘુમતીઓ શાંતિ અને સંવાદિતાના વાતાવરણમાં જીવી શકે.

‘બાંગ્લાદેશ હિંદુ ડેર ઓપોર અક્રોમોન બંધો કરો’ (લઘુમતી હિંદુઓ પર હુમલા બંધ કરો) અને ‘ચિન્મય કૃષ્ણ દાસેર ઓબિલોમ્બે મુક્તિ ચાય’ (અમે ચિન્મય દાસની તાત્કાલિક મુક્તિની માંગ કરીએ છીએ) લખેલા પ્લેકાર્ડ સાથે લોકોએ સિયાલદાહ સ્ટેશનથી એસ્પ્લેનેડ-રાની સુધી રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Back to top button