Farmers Protest: કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ, આ મુદ્દે સમજૂતી થઈ
![Farmers Protest: Various issues were discussed between the central government and the farmers, an agreement was reached on this issue](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Farmers-protest-_1707440530019_1707440530410-780x470.webp)
નવી દિલ્હી: ખેડૂત આંદોલન બાદથી પંજાબના ખેડૂતોને કેન્દ્ર સરકાર સાથે મતભેદ રહ્યા છે. રાજ્યના ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભગવંત માને આ મુદ્દે હસ્તક્ષેપ કર્યો હતો. મુખ્ય પ્રધાન માનના હસ્તક્ષેપ પર કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતના પ્રથમ રાઉન્ડમાં વિવિધ મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે.
મુખ્ય પ્રધાને ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર અને ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ પ્રશ્નોના નિરાકરણ માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે અમે પણ આ મુદ્દાઓ પર આંદોલન નથી ઈચ્છતા, બલ્કે આ મુદ્દાઓને દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. ભગવંત સિંહ માનએ આશા વ્યક્ત કરી હતી કે ખેડૂતો અને લોકોના હિતમાં ભવિષ્યમાં આવી વધુ ચર્ચાઓ થશે.
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ ઉપરાંત ભગવંત માન અને વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન માને કહ્યું કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા અંગે સર્વસંમતિ સધાઈ હતી.
તેમણે કહ્યું કે ચર્ચા શાંત વાતાવરણમાં થઈ હતી અને કેન્દ્રીય પ્રધાનોએ ખેડૂતોની માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ભગવંત સિંહ માનએ જણાવ્યું હતું કે નકલી બિયારણ ઉત્પાદકો સામે દાખલારૂપ સજાની માંગ કરવામાં આવી હતી જેથી અનાજ ઉત્પાદકોના હિતોનું રક્ષણ થઈ શકે અને ડાંગરના ભૂસાને સળગાવવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
ભગવંત માને પાકના લઘુત્તમ ટેકાના ભાવ ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ સમયની મુખ્ય જરૂરિયાત છે. લઘુત્તમ ટેકાના ભાવ પાછા ખેંચવા એ અર્થશાસ્ત્રીઓની માત્ર અટકળો છે જેઓ જમીની વાસ્તવિકતાને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની આરામદાયક ઓફિસમાં બેઠા છે. લઘુત્તમ ટેકાના ભાવને બંધ કરવાનું આવું કોઈપણ પગલું દેશની ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકશે અને તે કોઈપણ રીતે દેશના હિતમાં નહીં હોય.