કર્ણાટકમાં સિલિન્ડર વિસ્ફોટમાં વધુ બેનાં મોતઃ મૃતકોની સંખ્યા વધી | મુંબઈ સમાચાર

કર્ણાટકમાં સિલિન્ડર વિસ્ફોટમાં વધુ બેનાં મોતઃ મૃતકોની સંખ્યા વધી

હુબલીઃ કર્ણાટકના હુબલીના સાઇનગરમાં અયપ્પાસ્વામી સન્નિધાન ખાતે એલપીજી ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં દાઝી ગયેલા ભગવાન અયપ્પાના વધુ બે ભક્તોના મોત થયા હતા. આ સાથે ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને આઠ પર પહોંચી ગઇ હતી. સરકારે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ, છ લોકો ઘાયલ

પોલીસે જણાવ્યું હતું કે મૃતકો જે રૂમમાં રહેતા હતા તેમાં રાંધણગેસના સિલિન્ડર બ્લાસ્ટને કારણે નવ લોકો દાઝી ગયા હતા. એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ઘાયલો સૂઇ રહ્યા હતા. તેજશ્વરા સતારેનું મૃત્યું સોમવારે રાત્રે થયું હતું જ્યારે પ્રકાશ બાર્કરેએ મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: Cylinder blast: LPG કે Oxygen સિલિન્ડર બ્લાસ્ટમાંથી કોણ સૌથી વધુ ખતરનાક?

પોલીસને શંકા છે કે ભક્તોએ ભોજન બનાવ્યા બાદ ગેસ સિલિન્ડરની નોબ યોગ્ય રીતે બંધ કરી નહોતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. જે લોકો દાઝી ગયા હતા તેમને હુબલીમાં કર્ણાટક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button