નેશનલ

Voting ન કરવાનું Jayant Sinhaએ આપ્યું આ કારણ, નોટિસ મામલે જતાવી નારાજગી

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઝારખંડની હજારીબાગ સીટના આઉટગોઇંગ સાંસદ જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. પાર્ટી દ્વારા આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મનીષ જયસ્વાલને હજારીબાગ સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા બાદ તમે ન તો ચૂંટણી પ્રચારમાં રસ લઈ રહ્યા છો અને ન તો સંગઠનના કામમાં તમે તમારા મતાધિકારનો ઉપયોગ પણ કર્યો નથી. ભાજપે જયંતને બે દિવસમાં આ નોટિસનો જવાબ આપવા કહ્યું હતું. આ નોટિસનો પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ જવાબ આપ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર મતદાનના દિવસે તેઓ વિદેશમાં હતા, પરંતુ તેમણે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો હતો. ઝારખંડ ભાજપના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ આદિત્ય સાહુને સંબોધિત તેમના બે પાનાના જવાબમાં, જયંત સિન્હાએ મીડિયામાં નોટિસના સમાચારો ચમકવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

2 માર્ચના રોજ જેપી નડ્ડા સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીના ઘણા સમય પહેલા, તેમણે સક્રિય ચૂંટણી જવાબદારીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો જેથી તેઓ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જયંતે એમ પણ કહ્યું છે કે તેણે એક ટ્વીટ દ્વારા પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.

જેપી નડ્ડા સાથેની વાતચીત બાદ કરવામાં આવેલા ટ્વીટનો ઉલ્લેખ કરતા જયંતે કહ્યું કે આ જાહેરાત બાદ ઘણા લોકો મને મળવા દિલ્હી આવ્યા અને મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવા અને તેને પરત લેવા વિનંતી કરી. તેમણે કહ્યું છે કે તે મુશ્કેલ સમય હતો જેમાં જનતાની ભાવનાઓ વધી રહી હતી. 8મી માર્ચે મનીષ જયસ્વાલને હજારીબાગમાંથી ઉમેદવાર જાહેર કર્યા બાદ અભિનંદન આપવાનો ઉલ્લેખ કરતા જયંતે કહ્યું કે આ પાર્ટીના નિર્ણયને મેં આપેલું સમર્થન જ છે.

કારણ બતાવો નોટિસના જવાબમાં તેમણે વધુમાં કહ્યું છે કે જો પાર્ટી મને ચૂંટણી પ્રવૃતિઓમાં ભાગ લેવા માંગતી હોય તો તમે મારો સંપર્ક કરી શક્યા હોત. 2 માર્ચ, 2024 ના રોજ મારી જાહેરાત પછી, પક્ષના કોઈ વરિષ્ઠ અધિકારી અથવા ઝારખંડના સાંસદ અથવા ધારાસભ્યએ મારો સંપર્ક કર્યો નથી. જયંતે એમ પણ કહ્યું છે કે તેમને પાર્ટીના કોઈપણ કાર્યક્રમ, રેલી કે સંગઠન બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તેમણે કહ્યું કે જો બાબુલાલ મરાંડી મને કાર્યક્રમોમાં સામેલ કરવા માંગતા હોત તો તેઓ મને આમંત્રિત કરી શક્યા હોત પરંતુ તેમણે તેમ ન કર્યું. જયંતે પોતાના જવાબમાં આગળ લખ્યું છે કે મનીષ જયસ્વાલે તેમને 29મી એપ્રિલની સાંજે તેમના નોમિનેશનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે દિલ્હીમાં હતા. મોડી માહિતીને કારણે, 1લી મેની સવાર સુધી મારા માટે હજારીબાગ પહોંચવું શક્ય નહોતું.

તેણે એ પણ જણાવ્યું છે કે 2 મેના રોજ હજારીબાગ પહોંચ્યા બાદ તે સીધો મનીષ જયસ્વાલને તેના ઘરે મળવા ગયો હતો. તે (મનીષ) ત્યાં ન હતો તેથી મેં તેના પરિવારને મારો સંદેશો અને શુભકામનાઓ આપી હતી અને તે પછી મારો મનીષ સાથે કોઈ સંપર્ક નહોતો. 3 મેના રોજ હજારીબાગથી દિલ્હી પરત ફર્યા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત