નેશનલ

અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ 03 જુલાઈથી યોજાનારી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહલગામ અને બાલતાલ રુટ પર હવાઈ ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ હવે ગૃહ મંત્રાલયના નિર્દેશ પર અમરનાથ યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આતંકી હુમલા બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા

કેન્દ્ર સરકારે પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે. તેમજ અમરનાથ યાત્રાના બંને રુટ પહલગામ અને બાલતાલ પર સુરક્ષા દળોને તૈનાત કર્યા છે. આ ઉપરાંત આ રુટ પર હવાઈ કે ડ્રોન હુમલાની આશંકાના પગલે સમગ્ર રુટને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચાલતા ઉપકરણો, યુએવી, ડ્રોન અને એરબલૂન નહિ ઉડાવી શકાય.

આ પ્રતિબંધ 01 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી અમલમાં

આ પ્રતિબંધ 01 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ નિર્ણય ભારત સરકારના ગૃહ મંત્રાલયની સલાહ પછી લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણય તબીબી કટોકટી, આપત્તિ વ્યવસ્થાપન અથવા સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવતા સર્વેલન્સ કામગીરી જેવા કેટલાક કિસ્સાઓમાં લાગુ થશે નહીં.

અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાશે

ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાવાની છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં ભાગ લે છે અને યાત્રા પર જાય છે. આ સમય દરમિયાન, સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરક્ષાને કારણે આ મોટું પગલું લેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો ની 580 કંપનીઓ તૈનાત

અધિકારીઓએ ખાતરી આપી છે કે યાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જનતા પાસેથી સહયોગ માંગ્યો છે, ભારપૂર્વક જણાવ્યું છે કે અમરનાથ યાત્રા લોકોની યાત્રા છે. પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, યાત્રાના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે વધારાની સુરક્ષા તૈયારીઓ કરવામાં આવી રહી છે. યાત્રા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો ની 580 કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button