નેશનલ

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, જમ્મુ-કાશ્મીરમાં તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારાને લઇને મોદી સરકારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે UAPA હેઠળ આ કાર્યવાહી કરી છે. આ સંગઠન પર જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર એક અલગતાવાદી રાજકીય પક્ષ હતો, જેની સ્થાપના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જાહેરાત કરી હતી કે કાશ્મીરી અલગતાવાદી પક્ષ તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીર (TeH) ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.


કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તરત જ ખતમ કરવામાં આવશે.


તહરીક-એ-હુર્રિયત જમ્મુ અને કાશ્મીરની સ્થાપના 7 ઓગસ્ટ 2004ના રોજ અલગતાવાદી નેતા ગિલાની દ્વારા તેમની ભૂતપૂર્વ પાર્ટી જમાત-એ-ઈસ્લામી કાશ્મીર છોડ્યા બાદ કરવામાં આવી હતી. સૈયદ અલી શાહ ગિલાનીએ 2003માં હુર્રિયત કોન્ફરન્સમાં વિભાજન થયા બાદ પાર્ટીની રચના કરી હતી અને 15 વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળ્યું હતું. ગિલાનીએ 2019માં પ્રમુખ પદ છોડ્યા બાદ મોહમ્મદ અશરફ સેહરાઈ પ્રમુખ બન્યા હતા. અશરફ સેહરાઈનું વર્ષ 2021માં કોવિડથી અવસાન થયું હતું.


આ જૂથ જમાત-એ-ઇસ્લામીની વિચારધારાને ટેકો આપી રહ્યું છે, જેને કેન્દ્ર દ્વારા 2019માં UAPA હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવી હતી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ફંડિંગ અને સમર્થન જેવા આરોપોને કારણે. ગિલાનીએ તહરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરના કાર્યાલય પોતાના ઘરમાં જ બનાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો