નેશનલ

IRCTCનું ગુજરાત ટુર પેકેજ : ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ માટે આ સોનેરી તક

ગાંધીનગર : ઉત્તર પ્રદેશનાં પ્રવાસીઓ કે જે ગુજરાત ફરવા (Gujarat Tour) માંગે છે તો તેમના માટે આ એક સોનેરી તક છે. 6 રાત અને 7 દિવસના આ પ્રવાસમાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર હોટલ (અમદાવાદ અને વડોદરા)માં બે રાત્રિ રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં એક સપ્તાહ ફરવાનો આ સોનેરી મોકો છે.

IRCTC દેશભરના ધાર્મિક સ્થળો પર અને દેશના અગત્યના પ્રવાસન સ્થળોએ ફરવા માટે પેકેજનું સંચાલન કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં IRCTC ગુજરાતમાં અક્ષરધામ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે ટૂર પેકેજ લઈને આવી છે. આ પ્રવાસ દર શનિવારે ગોરખપુરથી શરૂ કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓને 2AC અને 3AC ક્લાસમાં રિઝર્વ બર્થ સાથે સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અક્ષરધામ મંદિર અને વડોદરાની મુલાકાત લેવા લઈ જવામાં આવશે.

ગુજરાત ફરવા માગતા હોય તેવા ઉત્તર પ્રદેશના પ્રવાસીઓને આ પેકેજમાં ગોરખપુર, બસ્તી, ગોંડા, બારાબંકી, લખનૌ, કાનપુર, કન્નૌજ, કાનપુર અનવરગંજ, ફારુખાબાદ અને બિલ્હૌર સ્ટેશનોથી ટ્રેનમાં ચઢવા અને ઉતરવાની સુવિધા આપવામાં આવી છે. 6 રાત અને 7 દિવસની આ યાત્રામાં 2AC અને 3AC ક્લાસમાં રેલવે રિઝર્વેશનની સાથે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન થ્રી સ્ટાર હોટલ (અમદાવાદ અને વડોદરા)માં બે રાત્રિ રોકાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને ગોરખપુરથી અમદાવાદ ટ્રેન મારફતે લઈ જવામાં આવશે. અમદાવાદ અને વડોદરામાં પ્રવાસ માટે એસી વાહનની સુવિધા આપવામાં આવશે. IRCTC પ્રવાસીઓને અમદાવાદ અને વડોદરાની થ્રી સ્ટાર હોટલમાં બે રાત્રિ રોકાણની સાથે નાસ્તો અને રાત્રિભોજન પણ આપશે.

આ ટૂર પેકેજ દરમિયાન પ્રવાસીઓને અમદાવાદમાં અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાતે લઈ જવામાં આવશે. જ્યાથી વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા મ્યુઝિયમનો આ પ્રવાસમાં સમાવેશ કરાયો છે.

સેકન્ડ ક્લાસ એસી ટિકિટ સાથે એક વ્યક્તિના પેકેજમાં આ કિંમત રૂ. 47715/- ડબલ ઓક્યુપન્સીમાં વ્યક્તિ દીઠ રૂ. 27620/- , ટ્રિપલ ઓક્યુપન્સીમાં વ્યક્તિ દીઠ રૂ. 22780/- , બેડ સહિત બાળક દીઠ (5-11 વર્ષ) – ₹ 16560 /-, બેડ વગરના બાળક દીઠ (5-11 વર્ષ) – ₹ 14210/ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે થર્ડ એસી ટિકિટ સાથે સિંગલ ઓક્યુપન્સીમાં ₹45580/-વ્યક્તિ દીઠ, ડબલ ઓક્યુપન્સમાં વ્યક્તિ દીઠ ₹25485/-, ટ્રિપલ ઓક્યુપન્સી વ્યક્તિ દીઠ – ₹20645, બેડ સહિત બાળક દીઠ (5-11 વર્ષ) – ₹14425/-, બાળક દીઠ. બેડની બાળકને જરૂર નથી તો (5-11 વર્ષ) ₹ 12070/- નક્કી કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે માહિતી આપતાં IRCTC ઉત્તરીય ક્ષેત્રના મુખ્ય પ્રાદેશિક પ્રબંધક, અજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે આ પેકેજનું બુકિંગ વહેલા તે પહેલાં ધોરણે કરાયું છે. આ યાત્રાના બુકિંગ માટે, લખનૌના પર્યટન ભવન, ગોમતી નગર સ્થિત IRCTC ઑફિસમાંથી અને IRCTC વેબસાઇટ www.irctctourism.com પરથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકાય છે, વધુ માહિતી અને બુકિંગ માટે આપેલા મોબાઈલ નંબર પર કૉલ કરો નીચે તમે સંપર્ક કરી શકો છો. લખનૌ- 8287930908/8287930902/8445137807, ગોરખપુર-8595924273/8874982530, કાનપુર- 8287930930/8595924298.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા