નેશનલ

ભારત-પાક. મેચમાં લાગી શકે છે વરસાદનું વિઘ્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અને નવરાત્રી મહોત્સવમાં વરસાદી વિઘ્ન ઊભું થઇ શકે છે. રાજ્ય હવામાન વિભાગે તા. 14થી 16 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 35.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. શુક્રવારે શહેરમાં 36 ડિગ્રીએ મહત્તમ તાપમાન પહોંચી શકે છે. નવરાત્રીના પ્રથમ બે દિવસ અને વિશ્વકપની મેચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે તા. 14થી 16 ઑક્ટોબર દરમિયાન અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત