રાજકોટ સહિત આ 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. મુસાફરોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટ સહિત 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ કરી છે. આ શહેરોમાં આવતીકાલે મધરાત સુધી ફ્લાઈટ ઉપલબ્ધ નહીં રહે. ઈન્ડિગોએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, તમારી સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વર્તમાન સ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધરમશાલા, બીકાનેર, જોધપુર, કિશનગઢ અને રાજકોટ આવતી-જતી તમામ ફ્લાઈટ 10 મે 2025ની મધરાત સુધી રદ્દ કરવામાં આવી છે.
એરલાઈન્સે શું કહ્યું
એરલાઈન્સે કહ્યું, અમે પરિસ્થિત પર દેખરેખ રાખી રહ્યા છીએ અને તમામ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. સત્તાવાર અપડેટના માધ્યમથી અમે માહિતી આપતા રહીશું. મુસાફરી યોજનામાં ફેરફાર માટે તમારી સહાય કરવા અમે ઉપલબ્ધ છીએ. તમારી સમજદારી અને ધૈર્ય માટે આભાર.
#6ETravelAdvisory: Your safety is paramount. Flights to/from the following cities are cancelled until 2359 hrs on 10th May. We are here to help you travel with ease. Check flight status here https://t.co/ll3K8PwtRV. To rebook or claim a refund, visit https://t.co/51Q3oUe0lP. pic.twitter.com/v5BSdX3dDo
— IndiGo (@IndiGo6E) May 9, 2025
આ ઉપરાંત અલ્માટી અને તાશકંદ જતી સીધી ફ્લાઈટને પણ 14 જૂન સુધી સ્થગિત કરી હતી. દેશની સૌથી મોટી વિમાન કંપનીએ પહેલા સાત મે સુધી સેવા સસ્પેન્ડ કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઈ દેશમાં ઘણા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુસાફરોને નિર્ધારીત સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચવા તેમજ ફ્લાઇટ અંગે કોઈપણ જાણકારી માટે વિમાન કંપનીનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ પણ વાંચો ગુજરાતના 11 જીલ્લામાં ચાર દિવસ બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી