નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સની 1800 ફ્લાઈટ સંચાલિત , મુસાફરોએ રાહત અનુભવી

નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુના લીધે મુશ્કેલીમાં મુકાયેલી ઇન્ડિગો એરલાઈન્સ ધીરે ધીરે સંકટમાંથી બહાર આવી રહી છે. જેમાં આજે ઇન્ડિગોનો મોટાભાગની ફ્લાઈટ સમયસર સંચાલિત થઈ રહી છે. જેમાં હાલ 2200 માંથી 1800 ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. જેના લીધે મુસાફરોને રાહત થઈ છે. તેમજ એરપોર્ટ પર રહેલી મોટાભાગની બેગ પરત કરવામાં આવી રહી છે.

બુધવારે 1900 ફ્લાઇટ્સનું આયોજન

આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે તે આજે 1800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. જે તેના નેટવર્કના તમામ 138 સ્ટેશનોને જોડે છે. તેમજ બુધવારે 1900 ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી દિવસો એકદમ સામાન્ય સ્થિતીમાં આવશે.

આ પણ વાંચો : ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ સરકારની લાલ આંખ, કહ્યું મુસાફરોને હેરાન કરવાની મંજુરી નહી

રિફંડ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓટોમેટિક કરી દીધી

આ ઉપરાંત સરકારના આદેશ બાદ એરલાઇને મુસાફરો માટે રિફંડ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓટોમેટિક કરી દીધી છે. જેમાં કોઈ પ્રશ્નો પૂછવામાં નહીં આવે. જેને કંપનીની વેબસાઇટ પર એક સરળ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે. ઇન્ડિગોએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા વેબસાઇટ પર ફ્લાઇટ સ્ટેટસ તપાસવા વિનંતી કરી છે. તેમજ અસુવિધા બદલ કંપનીએ માફી પણ માંગી છે.

આ પણ વાંચો : ઇન્ડિગોએ મુસાફરોને રૂપિયા 610 કરોડનું રિફંડ આપ્યું, 3000 બેગ સોંપી

ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિર્દેશ

આ દરમિયાન ડીજીસીએ એક્શન મોડમાં આવ્યું છે .તેમજ તાત્કાલિક અસરથી ડીજીસીએ ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિર્દેશ આપ્યો છે. જેમાં લીધે દરરોજની 2200 ફલાઈટ ઓપરેટ કરતી ઇન્ડિગોના ફ્લાઈટ ઓપરેશનના 110 ફ્લાઈટનો ઘટાડો થશે. આ ઉપરાંત એરલાઇનને 10 ડિસેમ્બર સુધીમાં સુધારેલું સમયપત્રક આપવા જણાવાયું છે.

આ પણ વાંચો : ઇન્ડિગોની ગરબડથી રેલવેમાં વધેલા મુસાફરોના ધસારાથી ગુજરાત-મુંબઈ સહિત દેશભરમાં સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત…

નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

આ અંગે ડીજીસીએ ઇન્ડિગોને નોટીસ આપી છે તેમાં જણાવાયું છે કે નવેમ્બર 2025 માટે શિયાળાના સમયપત્રક હેઠળ એરલાઇનને દર અઠવાડિયે 15,014 પ્રસ્થાન અને કુલ 64,346 ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ઓપરેશનલ ડેટા દર્શાવે છે કે ઇન્ડિગોએ ફક્ત 59,438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button