નેશનલ

ગૂડ ન્યૂઝઃ ભારતના સેટેલાઇટનો કચરો હવે સ્પેસમાં નહી રહેઃ ઇસરોને મોટી સફળતા મળી

બેંગલુરુઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) એ શૂન્ય ભ્રમણકક્ષાના ડેબરિશ મિશન પૂર્ણ કર્યું છે અને દેશની અવકાશ એજન્સીની સિદ્ધિઓમાં વધારો કર્યો છે, એવી ઈસરોએ સોમવારે આ જાણકારી આપી હતી.

ઇસરોએ કહ્યું હતું કે આ 21 માર્ચે સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ-3એ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરીને તેનું મિશન પૂર્ણ કર્યું હતું. સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે પીએસએલવી-સી58/એક્સપોસેટ મિશન ભ્રમણકક્ષામાં વ્યવહારિક રીતે શૂન્ય કાટમાળ છોડ્યો છે.


આ પણ વાંચો:
ગગનયાન મિશનને લઇને આવી મોટી અપડેટ, ઇસરોને મળી સફળતા, પરીક્ષણ રહ્યું સફળ

ઇસરોના મતે તમામ ઉપગ્રહોને તેમની ઇચ્છિત ભ્રમણકક્ષામાં મુકવાનું પ્રાથમિક મિશન પૂર્ણ કર્યા પછી પીએસએલવીના ટર્મિનલ સ્ટેજને 3-અક્ષ સ્થિર પ્લેટફોર્મ, પીઓઇએણ-3માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

ઈસરોના જણાવ્યા અનુસાર ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં મોકલ્યા પછી પીએસએલવી ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. જેને પીઓએમ-3 નામ આપવામાં આવ્યું છે. આમાં સૌ પ્રથમ પીએસએલવીને 650 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાંથી 350 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો હતો. આ કારણે પીએસએલવી ઝડપથી તેની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે અકસ્માતોનું જોખમ ઘટાડે છે.


આ પણ વાંચો:
ઇસરોના નવલા અધ્યક્ષ ડૉ. કે. શિવન

પીઓઇએમ- 3 પર સ્થાપિત પેલોડ્સ એક મહિનામાં તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રાયોગિક પેલોડ્સ છે. ઈસરોએ આમાં ખાનગી ભાગીદારીનો પણ સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈસરોએ ફરીથી વાપરી શકાય તેવી લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીને લઈને સફળતા હાંસલ કરી છે. ઈસરોની રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીનું પરીક્ષણ સફળ રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…