નેશનલ

ખેડૂતો માટેનો ભારતનો કાયદો વિશ્ર્વ માટે અનુકરણ કરવા યોગ્ય: મુર્મૂ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે જણાવ્યું હતું કે છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના સંરક્ષણ અંગેના ભારતના કાયદાનું સમગ્ર વિશ્ર્વએ અનુકરણ કરવા જેવું છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં પુસા સંકુલમાં ખેડૂતોના અધિકારો પર પ્રથમ વખતના વૈશ્વિક પરિસંવાદને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતે ૨૦૦૧માં છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના સંરક્ષણની અધિનિયમ લાવવામાં આગેવાની લીધી હતી, ખેડૂતોના રક્ષણ માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર માટે પ્લાન્ટ આનુવંશિક સંસાધનો પર આંતરરાષ્ટ્રીય સંધિને અનુરૂપ છે.
આ અધિનિયમ હેઠળ, ભારત ખેડૂતોને વિવિધ અધિકારો પ્રદાન કરે છે જેમાં રજિસ્ટર્ડ વિવિધતાના બિનબ્રાન્ડેડ બિયારણનો ઉપયોગ, પુન:ઉપયોગ, સંગ્રહ અને વેચાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડૂતો તેમની પોતાની જાતોની નોંધણી કરાવી શકે છે જેને માટે એમને રક્ષણ મળે છે.આબોહવા પરિવર્તનના પડકારોએ પરંપરાગત પાકની જાતોના સંરક્ષણની જવાબદારી ખેડૂતો પર મૂકી છે એમ જણાવતાં મુર્મૂએ જણાવ્યું હતું કે બાજરી સહિતની જાતો માત્ર ઇકોસિસ્ટમ પરના વિવિધ તાણને સહન કરવાની સહનશીલતા સાથે પોષક રૂપરેખાઓ પણ ધરાવે છે જે મોટી વસ્તીની ખોરાક અને આરોગ્યની જરૂરિયાતોનું સમાધાન પ્રદાન કરવામાં ચાવીરૂપ બની શકે છે.
રાષ્ટ્રપતિએ પ્લાન્ટ ઓથોરિટી ભવન અને છોડની જાતોની નોંધણીની પ્રક્રિયા માટે ઓનલાઈન પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એમણે છ ખેડૂત સમુદાયો અને વીસ વ્યક્તિગત ખેડૂતોને છોડ આનુવંશિક તારણહાર પુરસ્કારો પણ એનાયત કર્યા હતા.
૧૨-૧૫ સપ્ટેમ્બર સુધી ચાર દિવસીય વૈશ્ર્વિક સિમ્પોઝિયમ, પ્રથમ વખત યોજવામાં આવી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker