
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા આજે કહ્યું હતું કે ભારતની ભાષાગત વિરાસતને ફરીથી પ્રાપ્ત કરવાનો અને આપણી સ્થાનિક ભાષાઓ પર ગર્વ કરીને દુનિયાનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, “આ દેશમાં અંગ્રેજી બોલનારાઓને જલ્દી જ શરમનો અનુભવ થશે.
દેશમાં અંગ્રેજી બોલનારાઓને શરમનો અનુભવ થશે
પૂર્વ IAS અધિકારી અશુતોષ અગ્નિહોત્રીની પુસ્તક ‘મૈં બૂંદ સ્વયં, ખુદ સાગર હૂં’ ના વિમોચન પ્રસંગે અમિત શાહે કહ્યું કે “આ દેશમાં અંગ્રેજી બોલનારાઓને જલ્દી જ શરમનો અનુભવ થશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. ફક્ત એ જ લોકો બદલાવ લાવી શકે છે જે દ્રઢ છે. હું માનું છું કે ભાષાઓ આપણી સંસ્કૃતિનું રત્ન છે. આપણી ભાષાઓ વિના આપણે સાચા ભારતીય રહી શકતા નથી
દેશને સમજવા માટે વિદેશી ભાષા પર્યાપ્ત નથી
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ભારત, તેનો ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને ધર્મને સમજવા માટે વિદેશી ભાષાઓ ક્યારેય પર્યાપ્ત નથી. તેમણે કહ્યું, “અધૂરી વિદેશી ભાષાઓથી ભારતને પૂરી રીતે સમજી શકાય નહીં. મને ખબર છે આ સંઘર્ષ સરળ નથી, પરંતુ હું પૂરી રીતે આશ્વસ્ત છું કે ભારતીય સમાજ આ લડાઈને જરૂર જીતશે. આપણે આત્મસન્માન સાથે આપણી ભાષાઓમાં દેશ ચલાવીશું અને દુનિયાનું નેતૃત્વ પણ કરીશું.”
‘પંચ પ્રણ’ જ છે ભારતનો અમૃતકાળનો રસ્તો
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત ‘પંચ પ્રણ’ (પાંચ સંકલ્પ) નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ આજે ૧૩૦ કરોડ ભારતીયોનો સંકલ્પ બની ચૂક્યા છે. તેમણે કહ્યું, “વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની દરેક માનસિકતાથી મુક્તિ, આપણા ગૌરવશાળી અતીત પર ગર્વ, એકતા અને અખંડતા પ્રત્યે સમર્પણ, અને નાગરિકોમાં કર્તવ્યબોધ—આ પાંચ પ્રણોથી આપણે ૨૦૪૭ સુધી દુનિયાના સર્વોચ્ચ શિખર પર હશું. અને તેમાં આપણી ભાષાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
આ પણ વાંચો…વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી