નેશનલ

ભારતે ઇઝરાયલને આપ્યો મોટો ઝટકો

પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ વસાહતો વિરુદ્ધ યુએનના ઠરાવમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલે છે. દરમિયાન યુએનમાં એક ઠરાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ મામલે પ્રથમ વખત મતદાન કર્યું છે. પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ઇઝરાયલી વસાહતો વસાવવાના વિરોધમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ભારતે આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું છે.

નોંધનીય છે કે જ્યારથી હમાસ-ઇઝરાયલ વચ્ચે જંગ શરૂ થયો છે ત્યારથી ભારતે યુએનમાં ઇઝરાયલ વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવોથી દૂરી બનાવી છે. ભારત અનેક વાર હમાસના આતંકવાદી હુમલાની નિંદા કરી ચૂક્યું છે જ્યારે બીજી તરફ ભારતે ગાઝામાં માનવીય મદદની પણ તરફેણ કરી છે. યુએનમાં પહેલી વાર ભારતે પેલેસ્ટાઇનમાં ઇઝરાયલી વસાહતોના વિરોધના પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું છે. ભારતે ઇઝરાયલના વિરોધમાં મતદાન કરી તેને મોટો ઝટકો આપ્યો છે. આ વોટિંગમાં કૂલ 145 દેશોએ ભાગ લીધો હતો. 18 દેશો વોટિંગમાં હાજર નહોતા રહ્યા. કેનેડા, હંગેરી, ઇઝરાયેલ, માર્શલ આઇલેન્ડ્સ, ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, નૌરુ, યુનાઇટેડ સ્ટેટ્સ- એમ માત્ર સાત દેશોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

યુએનમાં રજૂ કરાયેલા ઠરાવનું શીર્ષક “પેલેસ્ટિનિયન પ્રદેશો, જેરુસલેમ અને કબજા હેઠળના સીરિયન ગોવામાં ઇઝરાયલ વસાહતો” હતું. આ દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ હતી. આનો અર્થ એ છે કે પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ઇઝરાયલી વસાહતો નહીં હોય. ટીએમસી નેતાએ આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ એ જાણીને ખુશ છે કે ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઈઝરાયલની વસાહતો સ્થાપિત કરવી યોગ્ય નથી.


7 ઓક્ટોબરના રોજ અચાનક હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં 4 હજારથી વધુ બાળકોના મોત થયા છે. ઘણા દેશોએ યુદ્ધવિરામની અપીલ કરી છે, પરંતુ ઇઝરાયલના પીએમ યુદ્ધવિરામ માટે સહમત નથી.


ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે યુદ્ધવિરામનો અર્થ આત્મસમર્પણ થશે. જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ થશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning