નેશનલ

2047 સુધીમાં ભારત વૈશ્વિક નેતા બનશે જેમાં ઉત્તરપ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: અમિત શાહ

લખનઉઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 60,244 કોન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા હતા. ઉત્તર પ્રદેશમાં પ્રથમવાર એવું બન્યું કે આટલા મોટા પ્રમાણમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહ્યું કે યોગી સરકારમાં હવે ગુંડાઓના આદેશ કામ કરતા નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં ભારતના પોલીસ દળોનું આધુનિકીકરણ શરૂ થયું હતું, પરંતુ ઉત્તર પ્રદેશના આ સંદર્ભમાં પ્રયાસો 2017માં જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર બન્યા પછી શરૂ થયા હતા.

અમિત શાહે અહીં આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી કહ્યું હતું કે “2017થી 2017 સુધી કેન્દ્રના સુધારા ઉત્તર પ્રદેશમાં દેખાતા નહોતા. શાહે એમ પણ કહ્યું કે ભારત 2047 સુધીમાં વૈશ્વિક નેતા બનશે, જેમાં ઉત્તર પ્રદેશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો -‏‏‎ કેરળમાં બ્રિટીશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ: શું છે મામલો? IAFએ કરી સ્પષ્ટતા!

ગૃહમંત્રી સાથે યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રાજ્ય પોલીસના ઇતિહાસમાં સિવિલ પોલીસ કોન્સ્ટેબલો માટે અત્યાર સુધીની સૌથી મોટી સીધી ભરતી ઝૂંબેશ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button