નેશનલસ્પેશિયલ ફિચર્સ

જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..

આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે છે અને આ સંકેતોને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોની જેમ મેગ્નેશીયમ પણ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. ત્યારે જાણીએ કે કયા એવા લક્ષણો છે કે જેનાથી એ ખ્યાલ આવે કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે.

વારંવાર આંખ ફડકે તો જાણવું કે મેગ્નેશીયમની ઉણપ છે. મેગ્નેશીયમ શરીરના મસલ્સને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જ્યારે બોડીમાં આ મિનરલની કમી થાય છે તો મસલ્સનો સ્ટ્રેસ વધી જાય છે અને આંખ ફફડવાની સમસ્યા થવા લાગે છે.

માથામાં દુખાવાની સમસ્યા: મેગ્નેશીયમની ઉણપ ધરાવતા લોકોને માથાના દુખાવાની પણ સમસ્યા થાય છે. જો તમને વારંવાર માથાના દુખાવાની સમસ્યાઓ હોય તો આવા લક્ષણોમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

ભૂખ ન લાગવી: મેગ્નેશીયમની ઉણપના કારણે સતત નબળાઇ અને થાક અનુભવાય છે. ભૂખમાં પણ ઘટાડો થાય છે.
પગમાં દુખાવો: જો રાત્રે સૂતી વખતે પગમાં દુખાવો અને ખેંચાણ અનુભવાય તો શક્ય છે તે મેગ્નેશિયમની કમીનું એક લક્ષણ હોય.

કબજીયાતની સમસ્યા: મેગ્નેશિયમ શરીરના આંતરડામાં પાણીનું પ્રમાણ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા સારી રહે છે. જો વારંવાર કબજીયાતની સમસ્યા થઈ રહી છે તો મેગ્નેશિયમની કમી હોઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…