નેશનલસ્પેશિયલ ફિચર્સ

જો આ લક્ષણો દેખાય તો સમજો કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે..

આપણા શરીરને સતત સ્વસ્થ અને ચેતનવંતુ રાખવા માટે આપણને દરરોજ પોષક પદાર્થોની જરૂર પડે છે. આ પદાર્થોને લીધે જ આપણે બિમારીઓથી દૂર રહી શકીએ છીએ. જ્યારે પણ આપણા શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેતો આપે છે અને આ સંકેતોને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. પ્રોટીન, વિટામીન, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોની જેમ મેગ્નેશીયમ પણ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. ત્યારે જાણીએ કે કયા એવા લક્ષણો છે કે જેનાથી એ ખ્યાલ આવે કે શરીરમાં મેગ્નેશીયમની ઉણપ છે.

વારંવાર આંખ ફડકે તો જાણવું કે મેગ્નેશીયમની ઉણપ છે. મેગ્નેશીયમ શરીરના મસલ્સને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જ્યારે બોડીમાં આ મિનરલની કમી થાય છે તો મસલ્સનો સ્ટ્રેસ વધી જાય છે અને આંખ ફફડવાની સમસ્યા થવા લાગે છે.

માથામાં દુખાવાની સમસ્યા: મેગ્નેશીયમની ઉણપ ધરાવતા લોકોને માથાના દુખાવાની પણ સમસ્યા થાય છે. જો તમને વારંવાર માથાના દુખાવાની સમસ્યાઓ હોય તો આવા લક્ષણોમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

ભૂખ ન લાગવી: મેગ્નેશીયમની ઉણપના કારણે સતત નબળાઇ અને થાક અનુભવાય છે. ભૂખમાં પણ ઘટાડો થાય છે.
પગમાં દુખાવો: જો રાત્રે સૂતી વખતે પગમાં દુખાવો અને ખેંચાણ અનુભવાય તો શક્ય છે તે મેગ્નેશિયમની કમીનું એક લક્ષણ હોય.

કબજીયાતની સમસ્યા: મેગ્નેશિયમ શરીરના આંતરડામાં પાણીનું પ્રમાણ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા સારી રહે છે. જો વારંવાર કબજીયાતની સમસ્યા થઈ રહી છે તો મેગ્નેશિયમની કમી હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button