મણિપુરમાં આસામ રાઈફલ્સના વાહન પર આઇઇડી વડે હુમલો | મુંબઈ સમાચાર

મણિપુરમાં આસામ રાઈફલ્સના વાહન પર આઇઇડી વડે હુમલો

ઇમ્ફાલ: આતંકવાદીઓએ ગુરુવારે સવારે મણિપુરના તેંગનોપલ જિલ્લામાં આસામ રાઇફલ્સના ખાણ-સંરક્ષિત વાહન હેઠળ ઓછી-તીવ્રતાવાળા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી)નો વિસ્ફોટ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળનું વાહન જિલ્લાના સાયબોલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતું ત્યારે તેને સવારે ૮.૧૫ વાગ્યાની આસપાસ નિશાન બનાવવામાં આવ્યું હતું.
આસામ રાઈફલ્સે ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.તેઓએ ઉમેર્યું હતું કે, સશ વાહનની અંદર હાજર સૈનિકોમાંથી કોઈને ઈજા થઈ નથી.

પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટકને ટ્રિગર કર્યા પછી તરત જ બંદૂકધારીઓએ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં એમનાં પર વળતો ગોળીબાર
કર્યો હતો. હુમલાખોરોમાંથી કોઈ ઘાયલ કે માર્યો ગયો છે કે કેમ તેની કોઈ માહિતી નથી.

આસામ રાઈફલ્સનાં જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Back to top button