નેશનલ

કેમ સ્પેન પહોંચ્યા એર ચીફ માર્શલ?

જાણો કારણ

મેડ્રિડઃ ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા એરબેઝનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતને તેનું પહેલું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળવા જઈ રહ્યું છે. ભારત આ વિમાન સ્પેન પાસેથી મેળવવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તેને લેવા માટે સ્પેન પહોંચ્યા છે.

મળતી માહિતી મુજબ સ્પેને ભારત માટે આ ખાસ એરક્રાફ્ટનું નિર્માણ કર્યું છે. આ મહિને તેને હિંડન એરબેઝ પર તહેનાત કરવામાં આવશે. બે વર્ષ પહેલા 21,935 કરોડ રૂપિયાના ટાટા-એરબસ પ્રોજેક્ટ હેઠળ આવા 56 એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી હતી, જે મુજબ 16 સી-295 એરક્રાફ્ટનો પ્રથમ બેચ સ્પેનથી આવશે અને બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે ખાનગી ક્ષેત્રની કંપની સેના માટે એરક્રાફ્ટ બનાવશે. ટાટા એરબસ દ્વારા ઉત્પાદિત એરક્રાફ્ટની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં એવરો એરક્રાફ્ટનું સ્થાન લેશે. એરફોર્સ પાસે 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જે તેણે 1960માં ખરીદ્યા હતા. C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લદ્દાખ અને કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં કામ કરી શકે છે. આના દ્વારા ભારતીય સેના હથિયારોને સરળતાથી ચીન અને પાકિસ્તાન સરહદ સુધી લઈ જઈ શકે છે. આ એરક્રાફ્ટનો ટેકઓફ સમય કાર્ગો પ્લેનની તુલનામાં ઓછો છે, તેથી તે સૈનિકોની અવરજવર માટે શ્રેષ્ઠ છે.


એક સમયે 71 સૈનિકોને લઈ જવાની સાથે આ વિમાનની મદદથી દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં સપ્લાય પહોંચાડી શકાય છે જ્યાં ભારે વિમાનો ઉતરી શકતા નથી. આ એરક્રાફ્ટ લગભગ 480 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 11 કલાક સુધી ઉડી શકે છે. આ એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગ માટે ખૂબ જ ઓછી જગ્યાની જરૂર પડશે. તેને ટેક ઓફ માટે 670 મીટર રનવે અને લેન્ડિંગ માટે માત્ર 320 મીટરની જરૂર પડશે.

યુદ્ધના કિસ્સામાં, આ વિમાન ઝડપથી સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. એટલું જ નહીં, આ વિમાન રાહત અને બચાવ તેમજ ઘાયલ સૈનિકોને બહાર કાઢવાના મુશ્કેલ ઓપરેશનમાં ખૂબ અસરકારક સાબિત થશે. ભારત આ એરક્રાફ્ટ દ્વારા મુશ્કેલ કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકે છે. તેના વાયુસેનામાં જોડાવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે.

આ એરક્રાફ્ટનો ઉપયોગ સૈન્ય તેમજ નાગરિક અને માનવતાવાદી મિશન માટે થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી દેશમાં સંરક્ષણ ઉદ્યોગને વેગ મળશે અને અનેક નોકરીઓનું સર્જન થશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker