નેશનલ

I.N.D.I.A. ગઠબંધનના પક્ષો વચ્ચે સારું સંકલન હોવાનો કોંગ્રેસે કર્યો મોટો દાવો

નાગપુરઃ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળને સરકારને ઉઠલાવવા માટે કોંગ્રેસે મહાગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે હવે ભાજપની આગેવાનીમાં એનડીએનું ગઠબંધન વધી રહ્યું છે. કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનમાં રોજ કોઈના કોઈ પક્ષ સાથે ઘર્ષણ વધતા ગઠબંધનમાં તિરાડ પડી રહી હોવા છતાં કોંગ્રેસના નેતાએ વિપક્ષી ગઠબંધનમાં બધું બરાબર હોવાનો મોટો દાવો કર્યો હતો.

કોંગ્રેસના સચિવ ડૉ. વિનીત પુનિયાએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનના સભ્યો વચ્ચે સારું સંકલન અને સમજણ છે, પરંતુ ભાજપ ઇરાદાપૂર્વક ગઠબંધન વિશે વિપરીત અફવા ફેલાવી રહ્યું છે કારણ કે તે જાણે છે કે લોકો I.N.D.I.A ગઠબંધનને પસંદ કરે છે.

પુનિયા રાહુલ ગાંધી દ્વારા ગયા અઠવાડિયે શરુ કરાયેલ ‘જય જવાન’ અભિયાન વિશે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા, જે અગ્નિપથ યોજનાની શરૂઆત પછી સંરક્ષણ સેવાઓમાં ન જોડાઈ શકેલા ૧.૫ લાખ યુવાનોને “ન્યાય” અપાવવા શરૂ કરવામાં આવ્યું છે.

જ્યારે I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે મતભેદના આરોપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાએ કહ્યું હતું કે આ ભાજપની ઉપજાવેલી વાતો છે, જે તે જાણી જોઈને બનાવી રહ્યું છે. ‘I.N.D.I.A’ ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સારું સંકલન અને સમજણ છે. તેમની વચ્ચે કોઈ સમસ્યા નથી. જ્યારે ચર્ચા થાય છે, ત્યારે તે સ્વાભાવિક છે કે ભાગીદારો વધુ તકો માંગે અને તેમાં કંઈ ખોટું નથી. તેનો અર્થ એ નથી કે સાથીઓ એકબીજાની વિરુદ્ધ છે.

ભાજપ જે કંઈ પણ કરી રહી છે તે તેમની અસલામતી દર્શાવે છે. તેઓ જાણે છે કે લોકો, ખેડૂતો અને યુવાનો તેમનાથી ખુશ નથી. તેઓ માત્ર તેમની સાથે રમત રમી રહ્યા છે, પરંતુ મૂળભૂત રીતે તેઓ જાણે છે કે ‘ઈન્ડિયા’ એક વાસ્તવિક સંસ્થા છે અને લોકો તેને પસંદ કરે છે, પુનિયાએ ઉમેર્યું. ‘જય જવાન’ ઝુંબેશ વિશે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારે સંરક્ષણ દળોમાં નિયમિત ભરતી માટે કઠોર માનસિક અને શારીરિક પરીક્ષણો પાસ કરનારા ૧.૫ લાખ યુવાનોના સપનાને ચકનાચૂર કરી દીધા છે.

કોંગ્રેસ માંગ કરે છે કે જ્યારે અગ્નિપથ યોજના રજૂ કરવામાં આવી ત્યારે ૧.૫ લાખ યુવક-યુવતીઓ પાસેથી જે નોકરીઓ છીનવાઈ ગઈ હતી તે તેમને પરત કરવામાં આવે અને સશસ્ત્ર દળો માટે અગાઉની ભરતી પ્રણાલી પુનઃસ્થાપિત કરવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…