ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024: દેશભરમાં કેટલા છે મતદારો? પાછલા વર્ષોમાં કેટલો થયો વધારો જાણો અહી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksbha Election 2024) માટે મતદાન ક્યારે થશે અને મત ગણતરી સાથે ચૂંટણી પરિણામો ક્યારે જાહેર થશે? દેશભરના લોકોની રાહનો અંત આવતા ચૂંટણી પંચ આજે ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ (EC press conference) યોજવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલા નવી લોકસભાની રચના કરવી પડશે. જ્યારે આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વખત લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થયું હતું. 23મી મેના રોજ મતગણતરી સાથે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા હતા.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચૂંટણી પંચે 1 જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ આંકડા જાહેર કર્યા છે. આખરી પ્રકાશિત મતદાર યાદી અનુસાર, દેશભરમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. આ રીતે, આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધુ મતદારોનો સમૂહ છે. 2019માં આ આંકડો 89.6 કરોડ હતો.

દેશમાં પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં આ આંકડો 46.5 કરોડ હતો. બીજી તરફ મહિલા મતદારો 47.1 કરોડ છે જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે મતદાર યાદીમાં જેન્ડર રેશિયો હકારાત્મક રીતે વધ્યો હોવાનો અહેવાલ આપ્યો છે.

કોઈપણ લોકશાહી દેશમાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દેશમાં 18-19 વર્ષની વય જૂથમાં 1.85 કરોડ યુવા મતદારો છે. ગત વખતે આ આંકડો 1.5 કરોડ હતો. 18-19 અને 20-29 વર્ષની વયજૂથના 2 કરોડથી વધુ યુવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે. ECI એ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી યુવાનોની સીધી નોંધણીની સુવિધા માટે મતવિસ્તારના સ્તરે વિશેષ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs) ની નિમણૂક કરવામાં આવી હતી.

ECIએ માહિતી આપી છે કે ડોર ટુ ડોર વેરિફિકેશન બાદ 1,65,76,654 મૃતકો, કાયમી ટ્રાન્સફર કરાયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જેમાં 67,82,642 મૃત મતદારો, 75,11,128 કાયમી સ્થાનાંતરિત/ગેરહાજર મતદારો અને 22,05,685 ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત