નેશનલમનોરંજન

કેમ કંગના રનૌતને આવ્યો ગુસ્સો, જાણો કોને કહ્યું ‘મુર્ખ’?

રાજા રઘુવંશી હત્યા કેસ: કંગના રનૌત સોનમ પર કેમ ભડકી?

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત અવાર નવાર પોતાની બેબાક બોલીથી લોકોની ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. તેઓ દરેક સામાજિક મુદ્દા પર પોતાનો ખુલ્લીને બોલવાનું પસંદ કરે છે.

તાજેતરમાં ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસે દેશભરમાં હલચલ મચાવી છે. ત્યારે હવે કંગના રનૌતે પણ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયાના માધ્યમથી સોનમ પર ગુસ્સો ઠાલવ્યો છે. આ કેસમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સોનમને ‘મૂર્ખ’ ગણાવી હતી. કંગનાએ આવી માનસિકતાને સમાજ માટે ખતરનાક ગણાવી અને લોકોને આવા લોકોથી સાવધ રહેવા અપીલ કરી.

કંગના રનૌતે રાજા રઘુવંશીની હત્યા કેસ પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, આવા લોકો વાલીઓના ડરને કારણે લગ્નથી ના નથી પડતા. પરંતુ લગ્ન બાદ પતિની હત્યાનું કાવતરું ઘડી શકે છે.

વધુમાં તેમણે આ પ્રકારની માનસિકતા ન સમજાવાની પણ વાત કરી આ સ્ટોરી કરી હતી. તેમણે સોનમ રઘુવંશીને બેવફા અને મૂર્ખ ગણાવી, જણાવ્યું હતું કે આવા લોકો સમાજ માટે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. આવા લોકોને પોતાને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે.

આપણ વાંચો:  89 વર્ષીય દિગ્ગજ હીરો ધર્મેન્દ્રને આ શું થઈ ગયું? વીડિયો વાઈરલ થતાં ફેન્સે કહ્યું પ્લીઝ…

રાજા રઘુવંશી હત્યા કેસમાં 29 વર્ષીય ઇન્દોરના ઉદ્યોગપતિ રાજાની હત્યા તેમની પત્ની સોનમ રઘુવંશીએ હનીમૂન દરમિયાન મેઘાલયમાં કરાવી હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ અન્ય લોકો સાથે મળીને આ હત્યાનું આયોજન કર્યું.

23 મેના રોજ બંને દંપતી ગુમ થયા હતા, અને 2 જૂને રાજાનો મૃતદેહ ચેરાપુંજીની ખાઈમાં મળ્યો. સોનમે 9 જૂને ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું. પોલીસે રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ પટેલને ધરપકડ કરી છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button