નેશનલ

ગરીબ કેદીઓના જામીન માટે કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ કરો: ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ…

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ કેન્દ્રીય ભંડોળમાંથી ગરીબ કેદીઓને નાણાકીય સહાય પૂરી પાડે જે આર્થિક તંગીના કારણે અથવા દંડ ભરી ન શકવાના કારણે જામીન અથવા જેલમાંથી મુક્તિ મેળવી શકતા નથી.

ગૃહ મંત્રાલયે એક પત્રમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી છે કે તેઓ તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પાત્ર કેદીઓને લાભ આપવા માટે કરી શકે છે. કેન્દ્રીય નોડલ એજન્સી (સીએનએ) દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજના માટે ધ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સીએનએ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે જેમ તમે જાણો છો ગૃહ મંત્રાલયે મે. 2023માં ‘ગરીબ કેદીઓ માટે સહાય યોજના’ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો જેથી ગરીબ કેદીઓને રાહત મળી શકે જેઓ આર્થિક સંકડામણના કારણે દંડ ન ભરી શકવાના કારણે જામીન અથવા જેલમાંથી મુક્તિ મેળવી શકતા નથી.

યોજનાનો એકંદર અમલ ખૂબ પ્રોત્સાહક નહીં
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે જોકે, વારંવાર યાદ અપાવવા છતાં ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો કારણ કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પાત્ર કેદીઓને ઓળખ કરી નથી તેમને યોજનાનો લાભ આપ્યો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભંડોળનો ઉપયોગ કર્યો હોવા છતાં તેમના દ્વારા યોજનાનો એકંદર અમલ ખૂબ પ્રોત્સાહક રહ્યો નથી.

સમિતિઓ પાત્ર કેદીઓને સહાય મંજૂર કરવા જવાબદાર
ગૃહ મંત્રાલયે યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા અને એસઓપી અગાઉથી જ જાહેર કરી છે. માર્ગદર્શિકા હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક જિલ્લામાં એક ‘અધિકાર પ્રાપ્ત સમિતિ’ અને રાજ્ય મુખ્યાલય સ્તરે ‘નિરીક્ષણ સમિતિ’ની રચના કરવી જોઈએ. માર્ગદર્શિકા અનુસાર, આ સમિતિઓ પાત્ર કેદીઓને નાણાકીય સહાય મંજૂર કરવા માટે જવાબદાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button