આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…

અમદાવાદ ખાતે થયેલા ગોઝારા પ્લેન ક્રેશની દુર્ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં પણ આખો દેશ હચમચી ઉઠ્યો છે. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ ટેક ઓફ બાદ બે જ મિનિટમાં મેઘાણી નગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. 12 ક્રુ મેમ્બર સહિત કુલ 242 પ્રવાસીઓ આ એરક્રાફ્ટમાં સવાર હતા.
આ દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા છે એની ઓફિશિયલી કોઈ જ માહિતી સામે આવી નથી, પરંતુ આ પ્લેનક્રેશમાં અનેક લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદની આ દુર્ઘટના બાદ ભારતમાં વિમાનની સુરક્ષા પર સવાલો ઉપસ્થિત થયા છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ કોણ છે કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લાઈવ કુંદર? કેટલો છે તેમનો અનુભવ…
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ કો ટેકઓફ અને લેન્ડિંગ સમયે સૌથી વધુ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. એવિએશન સેફ્ટીના આંકડાઓ અનુસાર 2023માં દુનિયાભરમાં કુલ 109 દુર્ઘટનાઓ સર્જાઈ હતી જેમાંથી 37 ટેકઓફ સમયે બની હતી. આજે આપણે વાત કરીએ ભારતમાં થયેલી આવી દુર્ઘટનાઓના કાળા ઈતિહાસ વિશે.
ચાલો નજ કરીએ ભારતમાં અત્યાર સુધી થયેલાં કેટલીટ મોટી વિમાન દુર્ઘટનાઓ કે ઈતિહાસના પાના પર કાળા અક્ષરે કોતરાઈ ચૂકી છે. આ અકસ્માત ટેક્નિકલ ખરાબી, હ્યુમન એરર કે ખરાબ હવામાનને કારણે સર્જાયા હતા.
1972-જાપાન એરલાઈન્સ ફ્લાઈટ-471
તારીખ 14મી જૂન, 1972
સ્થાન: પાલમ એરપોર્ટ, નવી દિલ્હી
જાપાન એરલાઈન્સની ફ્લાઈટ 471 લેન્ડ કરવાની હતી, એ સમયે જ તે એરપોર્ટ નજીક દુર્ઘટનાનો ભોગ બની હતી. ફ્લાઈટમાં સવાર પ્રવાસીઓમાં 82 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાં રહેલાં 3 નાગરિકોના પણ મૃત્યુ થયા હતા. જાપાને આ અકસ્માત માટે ફોલ્સ ગાઈડ પાથ સિગ્નલને કારણભૂત ગણાવ્યું હતું, જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયા તરફ દુર્લક્ષને કારણને અકસ્માત માટે જવાબદાર ગણાવ્યું હતું.
1973- ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ-440
તારીખ 31મી મે, 1973
સ્થાન: પાલમ એરપોર્ટ, નવી દિલ્હી
ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 440 નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ કરી હતી અને અચાનક પાઈલટની એક ભૂલને કારણે ભીષણ અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ પર જ ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ હતી અને વિમાનમાં સવાર 65માંથી 48 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.
1976-એર ઈન્ડિયા ફ્લાઈટ-171
તારીખ 12મી ઓક્ટોબર, 1976
સ્થાન: મુંબઈ
હવામાં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 171 અચાનક જ ફેલ થઈ ગયું હતું. જેને કારણે ફ્લાઈટમાં આગ લાગી હઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનાં રહેલાં 97 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.
1978- એર ઈન્ડિયા ફ્લાઈટ 855
તારીખ પહેલી જાન્યુઆરી, 1978
સ્થાન: અરબી સમુદ્ર, મુંબઈ
એર ઈન્ડિયાનું બોઈંગ 747 (ફલાઈટ 855) ટેકઓફના તરત બાદમાં અરબી સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 213 લોકોના મૃત્યુ થયા હતા અને આ અકસ્માત માટે પાઈલટની ભૂલ અને ટેક્નિકલ ખામીને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.
1996-ચરખી દાદરી ટ્રેજેડી
તારીખ 12મી નવેમ્બર 1996
સ્થાન: ચરખી, દાદરી, હરિયાણા
આ અકસ્માત ભારતના ઈતિહાસમાં સૌથી ભયાનક વિમાન અકસ્માત ગણવામાં આવે છે. સાઉદી અરબ એરલાઈન્સ અને કઝાકિસ્તાન એરલાઈન્સના બે વિમાન હવામાં ટકરાયા. આ અકસ્માતમાં 349 લોકોના નિધન થયા હતા. આ અકસ્માતની ગણતરી દુનિયાના સૌથી મોટા અને ગમખ્વાર અકસ્માતમાં આવે છે.
2000-એલાયન્સ એરફ્લાઈટ 7412
તારીખ 17મી જુલાઈ, 2000
સ્થાનઃ પટના, બિહાર
એલાયન્સ એરની ફ્લાઈટ સીડી-7412 લેન્ડિંગ સમયે પટના હવાઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. પાઈલટે કન્ટ્રોલ ગુમાવી દેતા થયેલા આ અકસ્માતમાં 60 લોકોના મૃત્યુ થયા હતા.
2010-મેંગ્લોર વિમાન અકસ્માત
તારીખ 22મી જુલાઈ, 2010
સ્થાનઃ મેંગ્લોર, કર્ણાટક
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-812 લેન્ડિંગ સમયે રનવે પરથી સ્લિપ થઈને ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 158 લોકોના મૃત્યુ થયા હતા. ભારે વરસાદ અને રનવેની સ્થિતિને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
2020-કોઝિકોડ વિમાન અકસ્માત
તારીખ 7મી ઓગસ્ટ, 2020
સ્થાનઃ કોઝિકોડ, કેરળ
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1344 જે વંદે ભારતનો મિશનનો હિસ્સો હતી તે ભાર વરસાદને કારણે લેન્ડિંગ સમયે રનવે પરથી સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં બે પાઈલટનો સમાવેશ થતો હતો.
2023-એચએએલ ક્રેશ, ગ્વાલિયર
તારીખ જાન્યુઆરી, 2023
સ્થાનઃ ગ્વાલિયર, મધ્યપ્રદેશ
બે ફાઈટર જેટ (સુખોઈ અને મિરાજ 2000) આકાશમાં હવામાં અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક પાઈલટનું નિધન થયું હતું.