નેશનલ

હરિયાણાના રિઝલ્ટ અંગે કુમારી સૈલજાએ આપ્યું નિવેદન, કોંગ્રેસને અપેક્ષા તો 60 સીટની…

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર વાત કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા કુમારી સૈલજાએ હારના કારણોની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસની અંદર ક્યાંક મોટી ભૂલ થઈ ગઈ છે, જેના કારણે પાર્ટી સંઘર્ષ કરી રહી છે. કુમારી સૈલજાએ કહ્યું, “અમે ૬૦ સીટોની વાત કરી રહ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ એકદમ મોટી ભૂલ છે. અમારે અંતિમ પરિણામ સુધી રાહ જોવી પડશે, જોકે હું જાણું છું કે તે સારું નથી.

આ પણ વાંચો : Haryana Elections Results 2024: પીએમ મોદી સાંજે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરોને જલેબી વહેંચવામાં આવશે

તેમણે આગળ કહ્યું હતું કે ગણતરીમાં ભૂલ થઇ છે, જ્યાં અમને ૬૦ સીટોની અપેક્ષા હતી અને હવે અમે ફક્ત સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે આશા રાખી શકીએ છીએ, પરંતુ અંતિમ પરિણામો પછી જ કારણોની ચર્ચા કરીશું.

અમે ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સ્વીપ કરવા માગતા હતા, પરંતુ હવે અમારે જોવું પડશે કે અમે ભૂલ કરી છે કે પછી ભાજપે કોઈ રમત રમી છે.” કુમારી સૈલજાએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ચૂંટણી લડવા માંગતા હતા. “સત્ય એ છે કે મેં ચૂંટણી લડવાની મારી ઈચ્છા વ્યક્ત કરી હતી અને અમે કેટલીક બેઠકો જીતી પણ છે. પરંતુ અમારે મોટા પાયે જોવું પડશે કે અમે રાજ્ય કેમ જીતી શક્યા નથી. તેનું સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે.”

કોંગ્રેસ માટે આ હારને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે અને પાર્ટીની અંદર ભવિષ્યની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી જે પરિણામો સામે આવ્યા છે તેમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી રહી છે. ૬૦ બેઠક જીતવાનો દાવો કરી રહેલી કોંગ્રેસ હજુ ૩૭ બેઠક પર આગળ છે. હરિયાણામાં ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોની કોંગ્રેસની વ્યૂહરચના કામમાં આવી નથી, સીએમ નાયબ સિંહ સૈનીએ પણ સત્તા વિરોધી વાતને ફગાવી દીધી છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker