જ્ઞાનવાપી કેસમાં પૂજાપાઠ બંધ થશે નહીંઃ હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

વારાણસી: જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં (gyanvapi case allahabad high court) આજની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. અને આ દરમિયાન મસ્જિદ સમિતિને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. એટલે કે જ્ઞાનવાપી પરિસરમાં આવેલા ભોંયરામાં પૂજા પાઠ ચાલુ રહેશે. આપને જણાવી દઈએ કે આ મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. મસ્જિદ સમિતિએ તેની અરજીમાં પૂજા સેવાઓ પર વચગાળાના મોરેટોરિયમની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે આ મંજૂરી આપી ન હતી. કોર્ટે મસ્જિદ કમિટીને તેની અપીલમાં 6 ફેબ્રુઆરી સુધીમાં સંશોધન કરવા જણાવ્યું હતું. આ સાથે અલાહાબાદ હાઈકોર્ટે એડવોકેટ જનરલને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ચાલો જોઈએ કે રીસીવરની નિમણૂક કરવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી.
મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે હિંદુ પક્ષની અરજીને 17 જાન્યુઆરીએ રિસીવર (વારાણસી ડીએમ)ની નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી અને 31 જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી પરિસરમાં 4 ભોંયરાઓ છે, પરંતુ હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો નથી. તેના પર મુસ્લિમ પક્ષે કોર્ટને કહ્યું કે હિન્દુ પક્ષ ચાર ભોંયરાઓમાંથી એક વ્યાસ ભોંયરાની માંગ કરી રહી છે. હાઇ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે તમે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવાના 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. 31 જાન્યુઆરીનો આદેશ પરિણામલક્ષી આદેશ છે, જ્યાં સુધી તે આદેશને પડકારવામાં ન આવે તો આ અપીલ કેવી રીતે જાળવી શકાય? આ પછી કોર્ટે મુસ્લિમ પક્ષને તેની અપીલમાં સુધારો કરવા કહ્યું.
કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે તમે પૂરક એફિડેવિટ દ્વારા આ વાત રજૂ કરી છે. આ રિટ પિટિશન નથી. કોર્ટે એડવોકેટ જનરલને ત્યાં હાલની સ્થિતિ વિશે પૂછ્યું? જેના પર એડવોકેટ જનરલે કોર્ટને જવાબ આપ્યો કે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે, રીસીવરની નિમણૂક થયા બાદ તમે ઓર્ડર 7 નિયમ 11 (વાદીનો અસ્વીકાર) હેઠળ અરજી દાખલ કરી છે. તમારો કેસ એવો નથી કે અરજી પર પહેલા સુનાવણી કરવામાં આવે. જેના પર મુસ્લિમ પક્ષના એડવોકેટ S F A નકવીએ કહ્યું કે અમારી ચિંતા DM દ્વારા 7 કલાકમાં લેવામાં આવેલી કાર્યવાહી અંગે છે જ્યારે તેમને 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું કે અમે સુધારા અરજી રજૂ કરીશું પરંતુ અમે નિર્ણય પર સ્ટે માંગીએ છીએ અને યથાસ્થિતિ યથાવત રહેવી જોઈએ. હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષે 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી, જ્યારે 31 જાન્યુઆરીનો આદેશ સાચો છે અને મુસ્લિમ પક્ષની અપીલ સાંભળવા યોગ્ય નથી.હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન અને એડવોકેટ પ્રભાષ પાંડેએ વકીલાત કરી હતી. વરિષ્ઠ વકીલ એસએફએ નકવી અને પુનીત ગુપ્તાએ મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું.