નેશનલ

ચંદ્રપુરમાં વાઘનો વધતો આતંક: એક મહિનામાં 12 મોત, વન વિભાગની ઊંઘ હરામ

ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘે આતંક મચાવ્યો છે અને લોકો પર રોજિંદા હુમલા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. છેલ્લા એક મહિનામાં વાઘના હુમલામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ વર્ષમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. તાજેતરનો હુમલો મૂળા તાલુકામાં બાબા આમટેના સોમનાથ પ્રોજેક્ટ પર થયો હતો, જ્યાં 60 વર્ષીય જયદેવ કર્ણેકરનું વાઘે હુમલો કરતા મૃત્યુ થયું હતું. જયદેવ કેરી તોડવા જંગલમાં ગયા હતા ત્યારે વાઘે તેના પર હુમલો કર્યો હતો.

રાતભર શોધખોળ કર્યા પછી, તેનો મૃતદેહ જંગલના કમ્પાર્ટમેન્ટ 792 માં મળી આવ્યો હતો. વાઘે શરીરના ઘણા ભાગો ખાઈ લીધા હતા. 10 મેથી અત્યાર સુધીમાં આ તાલુકામાં 7 લોકોના મોત થયા છે. આ હુમલાઓથી તેંદુના પાંદડા તોડતી મહિલાઓ અને કામદારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

દસમી મેના રોજ મેંઢા-માલ ગામમાં એક જ દિવસમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા.18 મેના રોજ તેંદુના પાન તોડતી વખતે બે પુરુષોના મોત થયા હતા. 22 મે અને 27 મેના રોજ પણ હુમલા થયા હતા, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. તાડોબા ટાઇગર રિઝર્વને અડીને આવેલા આ ગામોમાં વાઘ અને માણસો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે.

આ પણ વાંચો -‏‏‎ યાત્રી કૃપયા ધ્યાન દે, 1 જુલાઈથી ‘આધાર વેરિફિકેશન’ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ

વન વિભાગે અત્યાર સુધીમાં બે વાઘને પકડી લીધા છે. AI કેમેરા લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વાઘની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે માટે એક આધુનિક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button