નેશનલ

પાન મસાલાની જાહેરાતને પગલે હાઈ કોર્ટે શાહરૂખ, અક્ષય અને અજયને મોકલી નોટિસ

લખનઊ: હાઇ કોર્ટની લખનઊ બેન્ચે ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. હાઇ કોર્ટે કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર, સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જારી કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. તેના પર કોર્ટે આગામી સુનાવણી માટે ૯ મે, ૨૦૨૪ નક્કી કરી છે અને આગળની કાર્યવાહીની વિગતો માંગી છે.

સ્થાનિક એડવોકેટ મોતીલાલ યાદવની તિરસ્કારની અરજી પર ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો. અરજદારનું કહેવું છે કે તેની પીઆઈએલ પર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બે સભ્યોની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે જો અરજદાર કલાકારો દ્વારા ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં રજૂઆત કરે છે, તો તેના પર વિચાર કરવામાં આવે અને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અરજદારે દલીલ કરી હતી કે આ આદેશના પાલનમાં, તેણે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ જ એક રજૂઆત મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આના પર કોર્ટે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર- ક્ધઝ્યુમર પ્રોટેક્શનને તિરસ્કારની નોટિસ જારી કરી હતી.

શુક્રવારે સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી ડેપ્યુટી સોલિસિટર જનરલે ૧૬ ઓક્ટોબરની નોટિસની નકલ રજૂ કરી હતી અને કહ્યું હતું કે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે અભિનેતા અમિતાભ બચ્ચને કોન્ટ્રાક્ટની સમાપ્તિ છતાં તેમને જાહેરાતમાં દર્શાવવા બદલ સંબંધિત પાન મસાલા બ્રાન્ડને કાનૂની નોટિસ મોકલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા